________________
૧૨૬ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૧૫/ગાથા-૧૫-૧૬ ગાર્યાયઃ
તે સંવિજ્ઞપાક્ષિક, એક ક્રિયાનયથી બાળ છે પણ જ્ઞાનનયથી બાળ નથી, તે સંવિજ્ઞપાક્ષિક, સુસંયતને સેવવા યોગ્ય છે એમ ઉપદેશમાલા બોલે છે. II૧પI ભાવાર્થ –
જેઓ સાધુવેશમાં છે, તત્ત્વના અર્થી છે, શાસ્ત્રો ભણીને નિશ્ચયનય અને વ્યવહારનયના પરમાર્થને જાણનારા છે, આમ છતાં વ્યવહારનયને અભિમત એવી શાસ્ત્રાનુસારી ક્રિયાઓ કરી શકતા નથી તેઓ ક્રિયાનયની દૃષ્ટિથી બાળ છે; પરંતુ જ્ઞાનનયથી દૃષ્ટિથી બાળ નથી.
આશય એ છે કે ભગવાનનું શાસન જ્ઞાનક્રિયાઉભયાત્મક છે. આથી જ “સમ્યજ્ઞાન અને સમ્યજ્ઞાનથી નિયંત્રિત ક્રિયા મોક્ષનું કારણ છે” એ પ્રકારનું શાસ્ત્ર વચન છે. તેથી જે સાધુથી શાસ્ત્રાનુસારી ક્રિયા થતી હોય તો તે સાધુ ક્રિયાનયમાં નિપુણ છે અને જે પ્રકારનો ભગવાને પરમાર્થ બતાવ્યો છે તે પ્રકારે જ ભગવાનના વચનનો બોધ જે સાધુને થયો છે તે સાધુ જ્ઞાનનયમાં નિપુણ છે. વળી, જે સાધુ ક્રિયાનયમાં નિપુણ નથી પરંતુ જ્ઞાનનયમાં નિપુણ છે તેવા સાધુ ભાવથી સાધુ નથી પરંતુ સંવિજ્ઞપાક્ષિક છે અને તે સંવિજ્ઞપાક્ષિક સાધુને ભગવાનના વચનના પરમાર્થનો યથાર્થ બોધ છે તેથી અગીતાર્થ એવા સુસંયત સાધુને પણ, ભગવાનનાં વચનઅનુસાર અપ્રમાદભાવથી ક્રિયા કરનારા એવા સાધુને પણ, તે સેવવા યોગ્ય છે અર્થાત્ તેમના સાન્નિધ્યમાં રહીને તેમના જ્ઞાનના બળથી પોતે આત્મકલ્યાણ કરી શકે છે. તેથી તેમની સેવા કરવી તેવા અગીતાર્થસાધુને ઉચિત છે એમ ઉપદેશમાલા કહે છે. ll૧પો અવતરણિકા -
વળી, તે સંવિજ્ઞપાક્ષિક સાધુ ક્રિયાલયથી બાળ હોવા છતાં તેઓની ક્રિયા સર્વથા નિષ્ફળ નથી તે બતાવવા અર્થે કહે છે – ગાથા :
કિરિયાનયે પણ એક બાલ છે, જે લિંગી મુનિરાગી; જ્ઞાનયોગમાં જસ મન વરતે, તે કિરિયા સોભાગી. ધન. ૧૬
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org