SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૧૧ અવતરણિકા - ગાથા-૯માં સંવિજ્ઞપાક્ષિક કેવા ગુણવાળા છે તે બતાવ્યું અને ગાથા૧૦માં સંયમની કઠોર આચરણા પાળનારા કરતા પણ જ્ઞાનગુણથી સંવિજ્ઞાપલિક અધિક છે તેમ બતાવ્યું. હવે પૂજ્ય હરિભદ્રસૂરીજી તેવા ગુણવાળા છે તે બતાવવા અર્થે કહે છે – ગાથા - સુવિહિત ગચ્છ કિરિયાનો ધોરી, શ્રીહરિભદ્ર કહાય; એહ ભાવ ધરતો તે કારણ, મુઝ મન તેહ સુહાય. ધન. ૧૧ ગાથાર્થ – સુવિહિત ગચ્છની જે સંયમની ક્રિયાઓ છે તેની ધુરાને વહન કરનાર પૂજ્ય હરિભદ્રસૂરીજી કહેવાય છે અને તેઓ આ ભાવને ધારણ કરે છે સંવિડાપાક્ષિક ભાવને ધારણ કરે છે, તે કારણથી ગ્રંથકારશ્રી કહે છે કે મારા મનને તે સુહાય છે મારા મનમાં પૂજ્ય હરિભસૂરીજી પ્રત્યે ભક્તિ વર્તે છે.” II૧૧il. ભાવાર્થ : સુવિહિત સાધુઓના ગચ્છમાં રહેલા સાધુઓ કેવા પ્રકારે સંયમની ક્રિયાઓ કરે તેની યથાર્થ પ્રરૂપણા “પંચવસ્તુ” નામના ગ્રંથમાં પૂજ્ય હરિભદ્રસૂરીજીએ કરી છે. તેથી પૂજ્ય હરિભદ્રસૂરિજી સુવિહિત સાધુઓની યથાર્થ આચરણાઓને બતાવનારા છે તેમ કહેવાય છે અને તેઓ સંવિજ્ઞપાક્ષિક ભાવને ધારણ કરતા હતા અર્થાત્ “પંચવસ્તુ”ગ્રંથમાં જે પ્રકારે સુવિહિત સાધુઓની ક્રિયા તેમને બતાવી છે તેવી ક્રિયા કરવા પોતે અસમર્થ હતા તોપણ તેવી ક્રિયા કરવાના પક્ષપાતી હતા અને પ્રસ્તુત ઢાળની ગાથા-૯માં બતાવ્યા એવા ગુણોને ધારણ કરનારા હતા તે કારણથી ગ્રંથકારશ્રી કહે છે કે “મને તેમના પ્રત્યે અત્યંત ભક્તિ છે.” II૧૧ાાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy