SearchBrowseAboutContactDonate
Page Preview
Page 133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૫/ગાથા-૮-૯ ભગવાનનાં માર્ગની શુદ્ધ પ્રરૂપણા કરીને યોગ્ય જીવોને સન્માર્ગ પ્રાપ્ત કરાવે છે અને સન્માર્ગ પ્રત્યેના રાગને કારણે પોતાના આત્માનું પણ હિત સાધે છે. [૮] અવતરણિકા : સંવિજ્ઞપાક્ષિક કેવા ગુણવાળા છે તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા : સદ્દતણા અનુમોદન કારણ, ગુણથી સંયમકિરિયા; વ્યવહારે રહિયા તે ફરસે, જે નિશ્ચયનયદરિયા. ધન. ૯ ગાથાર્થ : સદણાવાળા છે=ભગવાનના વચનમાં શ્રદ્ધાવાળા છે, અનુમોદન કરનારા છે સુસાધુના ગુણોનું અનુમોદન કરનારા છે, વ્યવહારમાં રહેલા વ્યવહારનયની દથિી સંયમની આચરણામાં રહેલા, કારણ ગુણથી ભાવસાધુનું કારણ બને તેવા ગુણથી, તેઓ સંયમની ક્રિયાને સ્પર્શનારા છે-સંયમની ક્રિયાને સેવનારા છે, જેઓ નિશ્ચયનયના દરિયા છે નિશ્ચયના પરમાર્થને જાણનારા છે. ll૯II ભાવાર્થ આવા સંવિજ્ઞપાક્ષિક સાધુએ ભવથી વિરક્ત થઈને સાધુપણું લીધું છે, સંયમ લીધા પછી શાસ્ત્ર અભ્યાસ કરીને ભગવાનના શાસનમાં બતાવેલ નિશ્ચયનયના પરમાર્થને પામેલા છે. આથી પોતે માત્ર સંયમની ક્રિયાઓ સેવે છે, માટે પોતે સાધુ છે એમ માનતા નથી પરંતુ નિશ્ચયનયને અભિમત એવા સમભાવના પરિણામને વધારે તેવી ક્રિયાઓને જ સંયમની ક્રિયા તરીકે સ્વીકારીને પોતાનામાં વર્તતી પ્રમાદની પરિણતિને જાણીને પોતે સંયમી નથી તેમ માને છે. તેથી નિશ્ચયનયથી મુનિ કઈ રીતે સંયમના પરિણામોમાં વર્તે તેના રહસ્યને જાણનારા છે અને ભગવાનનું શાસન સર્વકલ્યાણનું કારણ છે તેવી સ્થિર શ્રદ્ધાવાળા છે. વળી, સુસાધુના ગુણોની અનુમોદના કરનારા છે અને સુસાધુ જેવું સંયમ પાળે છે તેવું સંયમ પોતે પાળી શકે તેવા નથી તેમ જાણવા છતાં તેવા સંયમનું કારણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy