________________
૧૧૮
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવનઢાળ-૧૫/ગાથા-૬-૭ ગાથાર્થ -
છઠ્ઠ ગુણઠાણું જે ભવરૂપી અટવીના ઉલ્લંઘણનું કારણ છે કે જેમને પ્રાપ્ત કર્યું છે તેના સૌભાગ્યને સકલ મુખથી=બધી રીતે, એક પુરુષથી કેમ કહી શકાય ? અર્થાત્ તેમના સૌભાગ્યનું વર્ણન કરવું અશક્ય છે. III
ભાવાર્થ :
મુનિ છઠ્ઠા ગુણસ્થાનકમાં વર્તે છે અને છઠું ગુણસ્થાનક એટલે સંસારના સર્વ ભાવોથી સંવૃત્તચારી એવા મન-વચન-કાયાની પ્રવૃત્તિ. ભવ અટવીમાં રહેલા સંસારવર્તી જીવો અસંવૃત્તચારી હોવાથી ભવરૂપી અટવીનું ઉલ્લંઘન કરી શકતા નથી પરંતુ મુનિ તો સંવૃત્તચારી હોવાથી સુખ-સુખે ભવ અટવીનું ઉલ્લંઘન કરી શકે છે. તેથી જે મહાત્માએ ભવ અટવીના ઉલ્લંઘનના કારણભૂત એવા છઠ્ઠા ગુણસ્થાનકને પ્રાપ્ત કર્યું છે તે મહાત્મા મહાસૌભાગ્યવાળા છે. તેવા સૌભાગ્યવાળા મુનિના બધા ગુણો એકમુખથી કઈ રીતે કહી શકાય ? અર્થાત્ તેઓના ગુણોનું વર્ણન થઈ શકે નહિ. IIકા ગાથા :
ગુણઠાણાની પરિણતિ જેહની, ન છિપે ભવજંજાલે;
રહે શેલડી ઢાંકી રાખી, કેતો કાલ પરાબેં? ધન. ૭ ગાથાર્થ :
મુનિ છઠ્ઠા ગુણસ્થાનકમાં હોય છે અને તે છઠું ગુણસ્થાનક ભવના ઉચ્છેદ માટે સતત પ્રયત્ન કરાવે છે તેથી તેઓમાં વર્તતી ગુણસ્થાનકની પરિણતિ ભવની જંજાલમાં છુપાઈ જતી નથી અર્થાત્ ભવના કારણભૂત બાહ્ય આલંબનોમાં પ્રવર્તતી નથી પરંતુ સદા ભવના ઉચ્છેદ માટે પ્રવર્તે છે. શેલડી કેટલો કાળ સુધી જમીનમાં ઢંકાયેલી રહી શકે ? અર્થાત્ રહી શકે નહિ. તેમ મનિની ગુણસ્થાનકની પરિણતિ ભવજંજાલમાં ઢંકાયેલી રહી શકે નહિ. Il૭.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org