________________
૧૧૫
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૫/ગાથા-૧-૨ મુનિને રાગ વર્તે છે. માટે આત્માની નિરાકૂળ અવસ્થાના ઉપાયભૂત સંયમની ક્રિયાઓ કરે છે જેના દ્વારા સમભાવની વૃદ્ધિ કરીને અધિક-અધિક નિરાકૂળ બને છે અને મોહથી આકુળ ચેતના પ્રત્યે દ્વેષ છે તેથી જિનવચનાનુસાર પ્રવૃત્તિમાં થતી સ્કૂલનામાં દ્વેષને ધારણ કરીને મુનિ સ્કૂલનાની શુદ્ધિ કરે છે અને તેના દ્વારા સંયમની વૃદ્ધિ કરે છે, વળી, સંસારના ભાવો આત્માને અનુપયોગી હોવાથી તેના પ્રત્યે ઉપેક્ષા કરે છે. આ રીતે મુનિનો સમભાવનો રાગ અને અસમભાવનો દ્વેષ મુનિને ઉચિત પ્રવૃત્તિ કરાવવા દ્વારા વીતરાગભાવની પ્રાપ્તિનું કારણ બને છે તેથી સુખ-સુખે ભવસમુદ્રને તરે છે. IIII
ગાથા :
ભોગપંક ત્યજી ઉપર બેઠા, પંકજ પરે જે ન્યારા;
સિંહપરે નિજવિક્રમશૂરા, ત્રિભુવનજન આધારા. ધન. ૨ ગાથાર્થ :
ભોગરૂપી કાદવનો ત્યાગ કરીને કમળની જેમ ઉપર બેઠા છે તેવા મુનિવરો ભોગથી વ્યારા છે. સિંહની જેમ શત્રુના નાશ માટે પોતાના વિકમમાં શૂરા છે અને ત્રણભુવનના લોકોને માટે આધાર છે. શા ભાવાર્થ :
ભાવસાધુ સમભાવના પરિણામવાળા હોય છે તેથી બાહ્ય પદાર્થો સાથે સંશ્લેષ કરતા નથી. જેમ કમળ કાદવમાં ઉત્પન્ન થાય છે છતાં કાદવના સ્પર્શ વગર રહે છે તેમ મુનિઓ ભોગથી ઉત્પન્ન થયેલા દેહવાળા હોવા છતાં ભોગનો ત્યાગ કરીને ભોગના સ્પર્શ વગરના છે. વળી, જેમ સિંહ પોતાના શત્રુનો નાશ કરવા માટે પરાક્રમ ફોરવવામાં શૂરવીર હોય છે પરંતુ પીછેહઠ કરતો નથી તેમ મુનિવરો પોતાના અંતરંગ શત્રુરૂપ મોહના ભાવોનો નાશ કરવામાં શૂરા હોય છે. વળી, કર્મથી કદર્થના પામી રહેલા ત્રણભુવનવર્તી જીવો માટે મુનિવરો આધારરૂપ છે; કેમ કે મુનિના અવલંબનથી જ સંસારવર્તી જીવો સુરક્ષિત બને છે. રા.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org