________________
૧૧૪
પૂર્વ ઢાળ સાથે સબંધ :
પૂર્વ ઢાળમાં ભાવસાધુના ‘સાત’ લક્ષણો બતાવ્યાં. તેવા લક્ષણવાળા મુનિવરો કઈ રીતે સંયમમાં સત્ત્વ ફોરવે છે તેઓના ગુણગાન કરતાં ગ્રંથકારશ્રી કહે છે
51121 :
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૫/ગાથા-૧
ઢાળ
પંદરમી
(રાગ : આજ મહારે એકાદશી - એ દેશી)
-
ધન્ય તે મુનિવરા રે, જે ચાલે સમભાવે,
ભવસાયર લીલાએ ઉતરે, સંયમકિરિયાનાવે. ધન. ૧
ગાથાર્થ ઃ
તે મુનિવરો ધન્ય છે જેઓ સમભાવમાં વર્તે છે અને સંયમ ક્રિયાની નાવ દ્વારા લીલાપૂર્વક ભવસાગર ઉતરે છે. ||૧||
ભાવાર્થ :
મુનિઓ સુખ-દુઃખ, શત્રુ-મિત્ર, જીવન-મૃત્યુ, સર્વ ભાવો પ્રત્યે સમભાવવાળા હોય છે અને તે સમભાવને અતિશયિત ક૨વા અર્થે જિનવચનાનુસાર ઉચિત ક્રિયાઓ કરનારા હોય છે, જે ક્રિયાઓથી તેઓમાં વર્તતો સમભાવનો પરિણામ અતિશય-અતિશયતર થાય છે, જેના બળથી તે મહાત્માઓ લીલાપૂર્વક અર્થાત્ સુખે-સુખે ભવસાગ૨નો પાર કરે છે.
Jain Education International
અહીં વિશેષ એ છે કે સંસારી જીવોમાં રાગ-દ્વેષના ભાવો વર્તે છે તેથી તેઓને ઇષ્ટ પ્રત્યે રાગ થાય છે, અનિષ્ટ પ્રત્યે દ્વેષ થાય છે અને નિરર્થક પદાર્થ પ્રત્યે ઉપેક્ષા થાય છે. વળી, મુનિ પણ હજી વીતરાગ થયા નથી તેથી સર્વથા રાગ-દ્વેષ વગરના નથી. આમ છતાં વિવેકચક્ષુ પ્રગટ થયેલા હોવાથી મુનિ માટે મોહથી અનાકૂળ ચેતના ઇષ્ટ બને છે, મોહથી આકૂળ ચેતના અનિષ્ટ બને છે અને જગતવર્તી ભાવો નિરર્થક બને છે તેથી આત્માની નિરાકૂળ અવસ્થા પ્રત્યે
For Personal & Private Use Only
www.jainelibrary.org