SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન-ઢાળ-૧૪/ગાથા-૧૫-૧૬ ભાવાર્થ : સુસાધુ પણ કોઈક નિમિત્તને પામીને શાસ્ત્ર વિધિ અનુસાર ઉપયુક્ત થઈને પડિલેહણાદિ ક્રિયા ન કરે તો પ્રમાદી એવા તે સાધુને ષકાયના જીવોના ઘાત કૃત કર્મબંધની પ્રાપ્તિ થાય છે એ પ્રકારનું શાસ્ત્ર વચન છે. તેનું સ્મરણ કરીને શુભ સંયોગવાળા એવા મુનિ અર્થાત્ પોતાના દેહાદિના સંયોગ અનુસાર યથાર્થ ક્રિયા કરી શકે તેવા મુનિ, ક્રિયામાં પ્રમાદી થાય નહિ પરંતુ સર્વ સંયમની ક્રિયાઓ તચિત્ત-તન-તલેશ્યાથી કરે છે, જેથી તે શુભ ક્રિયાના યથાર્થ ફળને પ્રાપ્ત કરે છે. ll૧પ અવતરણિકા : ભાવસાધુના તિજશક્તિ અનુરૂપ કાર્ય કરવારૂપ પાંચમા ગુણને બતાવે છે – ગાથા : જિમ ગુરુ આર્યમહાગિરિ, તિમ ઉજમે બલવંત; બલ અવિષય નવિ ઉજમેં, શિવભૂતિ હો જિમ ગુરુ હીલંત. સા. ૧૬ ગાથાર્થ - જેમ ગુરુ આર્યમહાગિરિ ઉધમ કરતા હતા તિમ બલવંત સાધુ ઉધમ કરે, બળના અવિષયવાળી ક્યિામાં ઉધમ કરે નહિ, જેમ ગુરુની હીલના કરતા શિવભૂતિએ ઉધમ કર્યો. II૧ી. ભાવાર્થ : સુસાધુ હંમેશા સ્વશક્તિ અનુસાર સંયમમાં ઉદ્યમ કરે. શક્તિ હોવા છતાં સાધુ સંયમમાં ઉદ્યમ ન કરે તો સંયમના ગુણસ્થાનકથી પાત થાય. આથી જિનકલ્પનો વિચ્છેદ થયેલો છતાં મહાશક્તિ સંપન્ન એવા આર્યમહાગિરિ ગુરુ ગચ્છમાં રહીને જિનકલ્પની તુલના કરી શક્તિના અતિશયથી અસંગભાવમાં ઉદ્યમ કરતા હતા. તેમ શક્તિવંત સાધુએ સર્વ ઉચિત અનુષ્ઠાનમાં ઉદ્યમ કરવો જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy