SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧૪/ગાથા-૧૪-૧૫ ગાથાર્થ ઃ શ્રદ્ધા થકી=ભગવાનનું વચન એકાંત કલ્યાણનું કારણ છે તેવી શ્રદ્ધાને કારણે, જે સાધુ ગંભીર એવા આગમના સર્વ ભાવોને પ્રાપ્ત કરે=અધ્યયન કરીને યથાર્થ જાણે, તે સાધુ ગુરુ વચનમાં પ્રજ્ઞાપનીય હોવાથી સરલ સ્વભાવવાળા આરાધક થાય. ।।૧૪|| ભાવાર્થ : ભાવસાધુને “સર્વજ્ઞના વચનથી જ સંસારનો પાર પમાય છે અન્ય પ્રવૃત્તિથી નહિ” તે પ્રકારની સ્થિર શ્રદ્ધા હોવાને કારણે તે મહાત્મા સંયમ ગ્રહણથી માંડીને સતત આગમના પરમાર્થને જાણવા માટે ઉદ્યમ કરે છે અને ગીતાર્થ ગુરુના સાન્નિધ્યથી આગમના ગંભીર ભાવોના પરમાર્થને પ્રાપ્ત કરે છે. આમ છતાં કોઈક સ્થાનમાં યથાર્થ નિર્ણય ક૨વામાં સ્ખલના થાય ત્યારે તે મહાત્મા સરલ સ્વભાવવાળા હોવાને કારણે ગુરુ વચનથી પ્રજ્ઞાપનીય હોય છે અર્થાત્ તે સ્થાનમાં ગીતાર્થ ગુરુ ભૂલ બતાવે અને કહે કે આગમ આ પ્રકારની પ્રવૃત્તિ કરવાનું કહે છે અને તારી પ્રવૃત્તિ ઉચિત નથી તે વખતે તે મહાત્મા સરલ સ્વભાવે ગુરુના વચનાનુસાર યથાર્થ પ્રવૃત્તિ સ્વીકારે છે. આ રીતે પ્રજ્ઞાપનીય ગુણને કારણે તે સાધુ આરાધક થાય છે. 119811 અવતરણિકા : ભાવસાધુના ક્રિયામાં અપ્રમાદ સ્વરૂપ ચોથા ગુણને કહે છે ગાથા : ગાથાર્થ ષટ્કાય ઘાત પ્રમત્તને, પડિલેહણાદિક યોગ; જાણી પ્રમાદી નવિ હુએ, કિરિયામાં હો મુનિ શુભસંયોગ. સા. ૧૫ : ૧૦૯ - Jain Education International પ્રમત્તને=પ્રમાદી સાધુને, પડિલેહણાદિક યોગમાં=પડિલેહણાદિ ક્રિયામાં ષટ્કાયનો ઘાત જાણીને શુભસંયોગવાળા મુનિ ક્રિયામાં પ્રમાદી થાય નહિ. II૧૫]I For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005546
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 02
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages196
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy