________________
૧૦૦
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૪/ગાથા-૪-૫ ગાથાર્થ :
માર્ગ સમયની સ્થિતિ તે શાસ્ત્રની મર્યાદા, અને સંવિજ્ઞબુધની નીતિસંવિજ્ઞબુધની આચરણા, એ દોઈ અનુસારે એ બે પ્રકારના માર્ગને અનુસાર, જે સાધુ ક્રિયા પાળે તે ન લહે ભીતિ તે ભવની ભીતિ લહે નહિ. Ilal ભાવાર્થ -
ભાવસાધુના સાત લક્ષણ છે તેમાંથી માર્ગાનુસારી ક્રિયાના બે ભેદ છે. (૧) શાસ્ત્રની મર્યાદા અનુસાર કરાતી ક્રિયા અને (૨) સંવિજ્ઞબુધજનની આચરણા.
આ બે પ્રકારના માર્ગ અનુસાર જે સાધુ સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે તેઓ ભગવાનના વચનાનુસાર મોક્ષમાર્ગમાં ચાલનારા હોવાથી તેમને સંસારના પરિભ્રમણની ભીતિ નથી.
જે જીવો નિર્વિચારકપણે સંસારની પ્રવૃત્તિ કરતા હોય તેઓ ચાર ગતિના પરિભ્રમણના અનર્થોને પ્રાપ્ત કરે તેવી સ્થિતિમાં છે. આમ છતાં નિર્વિચારક હોવાથી તેઓને સંસારના પરિભ્રમણનો ભય નથી. જ્યારે મુનિ તો સંસારના સ્વરૂપને જાણનારા છે અને સંસારના સ્વરૂપના યથાર્થ અવલોકનથી અત્યંત ભીત છે. આમ છતાં સંસારને પાર પામવાના ઉપાયભૂત બે પ્રકારની માર્ગાનુસારી ક્રિયા કરે છે તેથી હવે સંસારના પરિભ્રમણના અનર્થને પોતે પામશે નહિ તેવો સ્થિર નિર્ણય હોવાથી તેઓને સંસારનો ભય નથી. જો
અવતરણિકા :
પૂર્વગાથામાં બે પ્રકારનો માર્ગ બતાવ્યો ત્યાં પ્રશ્ન થાય કે માર્ગ તો શાસ્ત્રવચનની મર્યાદા રૂપ જ હોઈ શકે એનાથી અન્ય પ્રકારનો માર્ગ કેમ સ્વીકાર્યો ? તેથી કહે છે –
ગાથા :
સૂત્રે ભણ્યું પણ અન્યથા, જુદું જ બહુગુણ જાણ; સંવિજ્ઞવિબુધે આચર્યું, કાંઈ દીસે હો કાલાદિપ્રમાણ. સા. ૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org