________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૩/ગાથા-૧૮-૧૯ ગાથાર્થ :
આજ કાલ એ છાંડિયું-ગૃહને છોડશું, એ પ્રમાણે વેશ્યાની જેમ સ્નેહ વગરનો ગૃહને પર માને એ સતરમો ગુણ છે. ll૧૮ll ભાવાર્થ :
જેમ વેશ્યા ધન માત્રથી પુરુષની સાથે સ્નેહ દેખાડે છે પણ હૈયાથી કોઈ પુરુષ સાથે સ્નેહ રાખતી નથી, તેથી ધન પ્રાપ્ત ન થાય તો તે પુરુષને છોડી દે છે. તેમ શ્રાવક વારંવાર તત્ત્વના ભાવનથી સંયમને અભિમુખ થયેલો હોય ત્યારે વિચારે છે કે કુટુંબાદિનું ઔચિત્ય મારે જે કરવાનું બાકી છે તે આજ કાલમાં પૂર્ણ કરીને હું ઘરને છોડીશ. આવો શ્રાવક ગૃહ, ધનાદિ કે કુટુંબીને પોતાનાથી પર માને છે. તેથી શ્રાવકને કોઈના પ્રત્યે સ્નેહનો પ્રતિબંધ થતો નથી, ફક્ત ઔચિત્યથી જ ગૃહવાસ પાળે છે. ૧૮ અવતરણિકા :
પ્રસ્તુત ઢાળનું નિગમન કરતાં કહે છે ગાથા :
એ ગુણવંદે જે ભર્યા, તે શ્રાવક કહિયે ભાવે રે;
પાવે રે, સુજશપૂર તુઝ ભકિતથી એ. ૧૯ ગાથાર્થ :
આ ગુણવૃંદને ઉપરમાં વર્ણન કર્યા એ ગુણના સમુદાયથી, જે ભર્યા તે ભાવે શ્રાવક કહીએ. તેવા શ્રાવકો તમારી ભક્તિથી સુયશના પૂરને= ભાવસાધુપણાને, પામે છે. ll૧૯ll ભાવાર્થ :
ભાવશ્રાવકના ભાવગત સત્તર ગુણો કહ્યાં. તે ગુણોથી જે શ્રાવક ભર્યા છે તેઓ સંયમની અત્યંત નજીકની ભૂમિકાવાળા ભાવથી શ્રાવક કહેવાય છે અને તે શ્રાવકો ભગવાનની ભક્તિ કરીને=ભગવાનના વચનનું પાલન કરીને, સુયશના સ્થાનભૂત એવા સંયમને શીધ્ર પામે છે. ll૧૯ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org