________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૩/ગાથા-૧૨-૧૩
૯૩
અવતરણિકા – ભાવશ્રાવકની યથાશક્તિ દાનાદિ પ્રવૃત્તિ બતાવે છે –
ગાથા :
આપ અબાધાર્યો કરે, દાનાદિક ચાર શક્તિ રે;
વ્યક્તિ રે, ઈમ આવે ગુણ ઈગ્યારમો એ. ૧૨ ગાથાર્થ -
ભાવશ્રાવક પોતાને બાધાન થાય એ રીતે દાનાદિક ચારની શક્તિને, વ્યક્તિ કરે પ્રગટ કરે, એ રીતે અગિયારમો ગુણ આવે. II૧રચા ભાવાર્થ :
ભગવાને દાન, શીલ, તપ અને ભાવ એ ચાર પ્રકારનો ધર્મ કહ્યો છે અને આ ચાર પ્રકારનો ધર્મ જ મોક્ષનું કારણ છે તે પ્રકારની સ્થિર બુદ્ધિને ધારણ કરનાર શ્રાવક પોતાની શક્તિ અનુસાર દાનાદિ ચાર પ્રકારના ધર્મનું સેવન કરે છે. વળી, પોતાની આજીવિકાદિનો વ્યવચ્છેદ ન થાય કે કુટુંબ પાલનના
ઔચિત્યનો ભંગ ન થાય એ પ્રકારની અબાધાથી આ ચારે પ્રકારના ધર્મનું સેવન કરે છે. આથી જ જીવન નિર્વાહની પ્રાથમિક જરૂરીયાત પૂરતું ધન પ્રાપ્ત થયા પછી કાંઈક અધિક ધન પ્રાપ્ત થાય તો “શ્રાવકે અવશ્ય દાન ધર્મમાં યત્ન કરવો જોઈએ” એ પ્રકારની શાસ્ત્ર મર્યાદા છે. વળી, શ્રાવક સંસારના સ્વરૂપનું ભાવન કરીને શક્તિ અનુસાર શીલ, તપ અને સંયમના ઉત્તમ ભાવોમાં સદા ઉદ્યમ કરે છે જેથી અગિયારમો ગુણ પ્રાપ્ત થાય છે. I૧રના
અવતરણિકા :
ભાવશ્રાવકના લજજા નામના બારમ
ગાથા :
ચિંતામણિ સરિખો લહી, નવિ મુગ્ધ હસ્યો પણ લાજે રે; ગાજે રે, નિજ ધર્મે એ ગુણ બારમો એ. ૧૩
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org