________________
૯૪
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૩/ગાથા-૧૩-૧૪
ગાથાર્થ :
ચિંતામણિ સરિખો લહી=ધર્મને પામીને, મુગ્ધ લોકો વડે હસાયેલો પણ લાજ પામતો નથી, પરંતુ નિજ ધર્મમાં ગાજે છે શાસ્ત્રાનુસાર કરે છે, એ બારમો ગુણ છે. ll૧૩|| ભાવાર્થ
શ્રાવક ઇહલોક અને પરલોકને હિતકારી, અનવઘ=નિષ્પાપ એવી Nઆવશ્યકની ક્રિયાને અને જિનાર્ચનાદિ ક્રિયાને ચિંતામણિ સરખી ગણતો હોવાથી શાસ્ત્ર વિધિ અનુસાર તે ક્રિયાઓનું સેવન કરે છે. તેની આ પ્રવૃત્તિ જોઈને મુગ્ધ લોકો “આ ધર્મ ઘેલો છે” એમ હસે તોપણ તે લાજ પામતો નથી, પરંતુ શાસ્ત્રાનુસાર ક્રિયાઓ કરીને પોતાના ધર્મમાં ગાજે છે. એ લજ્જા રહિત ધર્મની પ્રવૃત્તિ કરવા રૂપ બારમો ગુણ છે. I૧૩ અવતરણિકા :
ભાવશ્રાવકના અરાગી-અષી ગુણ બતાવે છે – ગાથા :
ધનભવનાદિકભાવમાં, જે નવિ રાગી નવિ દ્વેષી રે;
સમર્પષી રે, તે વિલસે ગુણ તેરમો એ. ૧૪ ગાથાર્થ -
ધન, ભવનગૃહ, આદિક ભાવોમાં જે રાણી અને દ્વેષી નથી, પરંતુ સમર્પષી સમપરિણામને જેનાર છે, તે તેરમા ગુણમાં વિકસે છે. ll૧૪ll
ભાવાર્થ :
દેહની સ્થિતિના કારણભૂત ધન, ગૃહ, સ્વજન, આહારાદિ વસ્તુઓમાં શ્રાવકને અતિરાગ કે અતિદ્વેષ હોતો નથી, પરંતુ પ્રાપ્ત થાય તો આરાધનામાં તેનો ઉપયોગ કરે છે અને ધનાદિનો નાશ થાય તો પોતાનું તે પ્રકારનું ભૂતકાળનું કર્મ છે તેમ વિચારીને ધનાદિ ભાવોની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં સમાન પરિણામને ધારણ કરવા ઉદ્યમ કરે છે તે શ્રાવકનો તેરમો ગુણ છે. II૧૪ll
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org