________________
૯૨ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૩/ગાથા-૧૦-૧૧ ભાવાર્થ
લોક કરતા હોય તે પ્રમાણે ધર્મની પ્રવૃત્તિ કરવાની જે મનોવૃત્તિ છે તે લોકસંજ્ઞા છે. પરંતુ લોક કરતા હોય તે જિનવચનાનુસાર નહિ હોવાથી ગાડરિયો પ્રવાહ છે અને તેવા પ્રવાહથી લેવાયેલો ધર્મ કલ્યાણનું કારણ બને નહિ તેમ જાણનાર શ્રાવક ધર્મની સર્વ પ્રવૃત્તિ કઈ રીતે કરવાથી ભગવાનની આજ્ઞાનું પાલન થાય તેના મર્મને જાણવા યત્ન કરે અને મોહનું ઉમૂલન કરીને વીતરાગ થવાને અનુકૂળ યત્ન થાય તે પ્રકારે ધર્મ કરવાની ભગવાનની આજ્ઞા છે તેમ વિચારીને તે પ્રમાણે આત્માને ભાવિત કરે છે. આ રીતે લોકસંજ્ઞાથી ધર્મ ન થાય, પરંતુ જિનવચનાનુસાર ધર્મ થાય તે પ્રકારના ગુણને શ્રાવક ધારણ કરે છે. ll૧ના.
અવતરણિકા :
ભાવશ્રાવક સર્વ ક્રિયાઓમાં આગમને આગળ કરે છે તે બતાવે છે – ગાથા :
આગમને આગલ કરે, તે વિણ કુણ મારગ સાખી રે;
ભાખી રે, ઈમ કિરિયા દશમા ગુણ થકી એ. ૧૧ ગાથાર્થ :
આગમને આગળ કરે=ભાવશ્રાવક સર્વ પ્રવૃત્તિઓમાં આગમને અનુસરે, તે વગર-આગમ વગર, માર્ગના મોક્ષમાર્ગના, કોણ સાક્ષી છે અર્થાત્ કોઈ સાક્ષી નથી. દશમા ગુણ થકી=આગમપૂર્વક પ્રવૃતિરૂપ દશમાં ગુણ થકી, એમ ક્રિયા ભાખી રે એ પ્રમાણે શ્રાવકની ક્રિયા કહેવાય છે. ll૧૧ ભાવાર્થ :
શ્રાવક સૂક્ષ્મ દૃષ્ટિથી વિચારક હોય છે. તેથી તે વિચારે છે કે સ્વમતિ અનુસાર પ્રવૃત્તિ કરવાથી અતીન્દ્રિય એવો મોક્ષમાર્ગ પ્રાપ્ત થતો નથી પણ સર્વજ્ઞના વચનાનુસાર પ્રવૃત્તિ કરવાથી જ પ્રાપ્ત થાય છે. તેથી શ્રાવક આગમને આગળ કરીને સર્વ ઉચિત ક્રિયાઓ કરે છે. આમ શ્રાવકનો દશમો ગુણ આગમ પુરસ્કાર પ્રવૃત્તિરૂપ છે. ll૧૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org