________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવનઢિાળ-૧૩/ગાથા-૯-૧૦
ગાથા :
અઠમ દંસણ ગુણ ભર્યો, બહુભાતે કરે ગુરુભક્તિ રે;
શક્તિ રે, નિજ સદુહણાની ફોરવે એ. ૯ ગાથાર્થ -
શ્રાવક દર્શન ગુણ-સમ્યગ્દર્શન ગુણરૂપ, આઠમાં ગુણથી યુક્ત હોય છે તેથી બહુપ્રકારે ગુરુની ભક્તિ કરે છે અને પોતાની શ્રદ્ધાની શક્તિને ફોરવે છે. II૯ll. ભાવાર્થ :
સમ્યગ્દર્શન ગુણ જેનામાં વર્તતો હોય તે મહાત્માને દૃષ્ટિવાદના ઉપદેશની સંજ્ઞા વર્તે છે તેથી દૃષ્ટિવાદના ઉપદેશ અનુસાર મોક્ષએ જીવની સુંદર અવસ્થા છે અને સંસાર એ જીવની વિડંબના છે તે પ્રકારે તેને સ્પષ્ટ દર્શન વર્તે છે. તેથી સંસારના ઉચ્છેદ માટે મહાઉદ્યમ કરનારા એવા ગુરુ ભગવંતો પ્રત્યે તેને અત્યંત ભક્તિ હોય છે તેથી તેઓની બહુ પ્રકારે ભક્તિ કરે છે. જિનવચન પ્રત્યે પોતાને સ્થિર શ્રદ્ધા છે તેથી શક્તિ અનુસાર જિનવચનના પરમાર્થને જાણવા માટે અને જીવનમાં ઉતારવા માટે શક્તિ ફોરવે છે. IIll અવતરણિકા :
ભાવશ્રાવક લોકસંજ્ઞા વિષયક ગાડરીયા પ્રવાહના સ્વરૂપનું ચિંતવન કરીને તેનાથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
લોકસન્ના સવિ પરિહરે, જાણે ગાડરિયો પરવાહો રે;
લાહો રે, ઈમ નવમા ગુણનો સંપજે એ. ૧૦ ગાથાર્થ :
લોકસંજ્ઞા સવિ પરિહરે, કેમ પરિહરે તેથી કહે છે. લોકસંજ્ઞા ગાડરિયા પ્રવાહનો લાહવો છે એમ જાણે છે. આ પ્રમાણે નવમો ગુણ શ્રાવકને પ્રાપ્ત થાય છે. [૧]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org