________________
૯૦ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૧૩/ગાથા-૭-૮-૯ ભાવાર્થ
સંસારની પ્રવૃત્તિ આરંભ-સમારંભરૂપ છે અને તે આરંભ-સમારંભ દુર્ગતિના કારણ છે તેમ શ્રાવક સ્પષ્ટ જાણે છે, તોપણ સર્વથા નિરારંભ જીવન જીવવા માટે અસમર્થ હોવાથી જે પ્રવૃત્તિમાં ઘણી હિંસા હોય તેવા કર્માદાનાદિ આરંભોનો ત્યાગ કરે છે અને નિરારંભી એવા સાધુજન પ્રત્યે અત્યંત રાગ રાખે છે અને નિરારંભ થવાની શક્તિનો સંચય થાય તે રીતે આત્માને ભાવિત કરે છે. ll
અવતરણિકા :
ભાવશ્રાવક ગૃહવાસના સ્વરૂપનું ચિંતવન કરીને ગૃહવાસ પ્રત્યેના રાગથી મુક્ત થવા માટે કઈ રીતે ઉદ્યમ કરે છે તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
માને સત્તમગુણ વર્યો, જન પાસ સદિશ ગૃહવાસો રે;
અભ્યાસો રે, મોહ જીતવાનો કરે એ. ૮ ગાથાર્થ :
ગૃહવાસ જનને જીવને, પારસદેશ=બંધન સદશ માને, એ પ્રકારનો સાતમો ગુણ શ્રાવક વર્યો અને મોહને જીતવાનો ગૃહની ભોગ સામગ્રી પ્રત્યે મોહને ઘટાડવાનો અભ્યાસ કરે. IIટi. ભાવાર્થ -
શ્રાવક ગૃહસ્થનાસમાં છે તેથી ધન, કુટુંબ, પરિવારાદિથી યુક્ત હોય તોપણ તે માને છે કે આ સર્વ જીવને માટે બંધનરૂપ છે અને આ બંધન જીવને અવશ્ય દુર્ગતિમાં લઈ જશે, માટે આ ગૃહવાસ પ્રત્યે પોતાને મોહ છે તેને જીતવા માટે વારંવાર આ બંધન જેવો છે એ પ્રકારનું ભાવન કરે છે. એ શ્રાવકનો સાતમો ગુણ છે. III અવતરણિકા :
ભાવશ્રાવક દર્શન ગુણની સહણા કરીને કઈ રીતે દર્શન શુદ્ધિ કરે છે તે બતાવવા અર્થે કહે છે –
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org