________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-પ/ગાથા-૧
ઢાળા
ગાથા :
પાંચમી
(રાગ રામગ્રી-મંત્રી કહે એક રાજસભામાં-અથવા કહણી કરણી તુજ વિણ સાચો ન દીઠો યોગીરે-એ દેશી)
વિષમકાલને જોરે કેઈ ઉઠ્યા જડ મલધારી રે; ગુરુ-ગચ્છ છાંડી મારગ લોપી, કહે અમે ઉગ્રવિહારી રે. ૧ ગાથાર્થ ઃ
વિષમકાળના જોરે=પાંચમાં આરારૂપ વિષમકાળના કારણે, કેટલાક જડ મલધારી ઊઠ્યા=તત્ત્વની વિચારણામાં જડ અને બાહ્ય કઠોર આચરણા કરીને દેહની અને વસ્ત્રોની મલિનતાને ધારણ કરનારા ઊઠ્યા, તેઓ ગુરુ અને ગચ્છને છોડીને, માર્ગનો લોપ કરીને અર્થાત્ તત્ત્વ પ્રાપ્તિના કારણ એવા ગીતાર્થ ગુરુની નિશ્રારૂપ માર્ગનો લોપ કરીને, કહે છે કે અમે ઉગ્રવિહારી છીએ=શુદ્ધ સંયમની આચરણા કરનારા છીએ. IIII
ભાવાર્થ :
પાંચમા આરાના દોષને કારણે જીવમાં વક્રતા અને જડતા વર્તે છે. તેના કારણે સ્થૂલથી આરાધનાની બુદ્ધિવાળા પણ કેટલાક સાધુઓ ભગવાનના શાસનના પરમાર્થને સમજવા માટે જડ મતિવાળા હોવાથી માત્ર બાહ્ય કષ્ટકારી આચરણાને ધર્મરૂપે ગ્રહણ કરે છે. તેથી બુદ્ધિથી જડ અને કઠોર જીવન જીવીને દેહની અને વસ્ત્રોની મલિનતાને ધારણ કરનારા છે. બુદ્ધિથી જડ હોવાને કારણે ભગવાનના શાસનનો પરમાર્થ જ્યાં પ્રાપ્ત થાય છે તેવા ગીતાર્થ ગુરુનો ત્યાગ કરે છે અને જે ગચ્છમાં સારણા-વારણાદિ દ્વારા સંયમની વૃદ્ધિ થાય છે તેવા ગચ્છને છોડીને માર્ગનો લોપ કરે છે=ગુણવાનને પરતંત્ર થવારૂપ અને સુગચ્છમાં રહીને સંયમનું રક્ષણ કરવારૂપ માર્ગનો લોપ કરે છે.
૮૫
આમ છતાં, પોતે તપાદિ બાહ્ય કષ્ટો સેવે છે, નિર્દોષ ભિક્ષાચર્યા આદિ કરે છે અને નવકલ્પી વિહાર કરે છે, તેને સામે રાખીને લોકોમાં કહે છે કે અમે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org