SearchBrowseAboutContactDonate
Page Preview
Page 84
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ટાળ-૪/ગાથા-૯-૧૦ ૭૧ આ પ્રકારના આદ્રકુમારના ચરિત્રથી એ ફલિત થાય છે કે જેમ વીરા ભગવાન ભાવથી સંગ વગરના થઈને લોકોના ઉપકાર અર્થે ઉપદેશ આપે છે તે નિંદાનું સ્થાન નથી, પરંતુ તેમના ઉપદેશથી જ જગતના જીવોનો ઉદ્ધાર થાય છે તેમ નિઃસ્પૃહી એવા ગીતાર્થ મુનિ સર્વ ભાવો પ્રત્યે સમપરિણામવાળા થઈને માર્ગને કહેતા હોય તો તે નિંદાનું સ્થાન નથી, પરંતુ સ્વ-પરના કલ્યાણનું કારણ છે. ગાથા-૨ થી ૯ સુધી સ્તવનકારે ઉન્માર્ગનું ઉમૂલન કરીને સન્માર્ગનું સ્થાપન કર્યું, તેના દ્વારા સન્માર્ગની સ્તુતિ થાય છે અને સન્માર્ગ બતાવનારા તીર્થકરો છે તેથી સીમંધરસ્વામીની સ્તુતિ થાય છે. llll. અવતરણિકા - વળી, ભગવાનની સ્તવના કરતાં અન્ય કોઈનો માર્ગ અનુચિત છે, તે બતાવીને સન્માર્ગનું સ્થાપન કરવા ગ્રંથકારશ્રી કહે છે – ગાથા : કોઈ ભાષે નવિ સમજાવો, શ્રાવકને ગૂઢા ભાવો; તે જૂઠ કહા લદ્ધઠા, શ્રાવક સૂત્રે ગહિયઠા. ૧૦ ગાથાર્થ : કોઈ ભાષે કોઈ કહે છે, શ્રાવકોને સૂત્રના ગૂઢા ભાવો સમજાવવા જોઈએ નહિ, તે જુદું છે કોઈ કહે તે જુદું છે. કેમ જવું છે? તેથી કહે છે- સૂત્રમાં શ્રાવક લબ્ધાર્થવાળા અને ગરિષ્ઠ અર્થવાળા કહ્યા છે. ૧૦ના ભાવાર્થ : કેટલાક સાધુઓ શાસ્ત્ર ભણે છે તોપણ શાસ્ત્રના પરમાર્થને જાણવામાં મંદ બુદ્ધિવાળા હોવાને કારણે કહે છે કે “શ્રાવકોને શાસ્ત્રોના ગૂઢભાવો સમજાવવા જોઈએ નહિ; કેમકે સાધુ જ શાસ્ત્રના ગૂઢભાવોને સમજવા માટે અધિકારી છે.” તેઓનું તે વચન જુદું છે, કેમ કે સૂત્રમાં કહ્યું છે કે શ્રાવકો શાસ્ત્રના લબ્ધાર્થવાળા હોય છે અર્થાત્ શાસ્ત્રનું તાત્પર્ય જાણનારા હોય છે. એટલું જ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005545
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy