________________
૬૨
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૪/ગાથા-૨-૩
આવે, તેમની સાથે સંપર્ક વધે, તેમના પ્રત્યે પોતાને પણ લાગણી થાય, લોકોના માન સન્માનની અસરથી સાધુ પોતાના વ્રતોને પણ ભૂલી જાય અને લોકસંજ્ઞામાં પડે. તેથી સાધુએ ઉપદેશની પ્રવૃત્તિ ટાળવી જોઈએ. અને તેમાં તે અર્ધવિચારક સાધુ વિચારે છે કે લોકોને ભેગા કરવાથી પોતાને શું મળે છે અર્થાત્ કોઈ ફળ નથી. વળી, જેમ લોકોમાં કહેવાય છે કે બહુ બોલવું એ નિંદાનું સ્થાન છે; તેમ ધર્મમાર્ગમાં પણ શાસ્ત્રો ભણીને વિદ્વાન થયેલા સાધુઓ ઉપદેશ આપીને બહુ બોલે તો તે નિંદાનું સ્થાન છે. તેથી ધર્મદેશના આપવાના બદલે સાધુએ ગંભીર થઈને આત્માને શાસ્ત્રોથી ભાવિત કરવો જોઈએ અને નિર્લેપ થવા માટે ઉદ્યમ ક૨વો જોઈએ. આ પ્રકારની વિપરીત મતિ કેટલાક અર્ધવિચારક સાધુને થાય છે. II
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે કેટલાક અર્ધવિચારક ધર્મદેશનાને ટાળવાનું કહે છે.
હવે તે ઉચિત નથી તે બતાવવા અર્થે કહે છે
ગાથા :
–
ઇમ કહેતાં મારગ ગોપે, ખોટું દૂષણ આરોપે;
જે નિર્ભય મારગ બોલે, તે કહ્યો દ્વીપને તોલે. ૩
ગાથાર્થ ઃ
આમ કહેતાં=પૂર્વની ગાથામાં કહ્યું એ પ્રમાણે કહેતાં, માર્ગને ગોપે છે-તે અર્ધવિચારક સાધુ માર્ગનો અપલાપ કરે છે અને ખોટું દૂષણ આરોપે છે-સુસાધુ જે ધર્મદેશના કરે છે તે ઉચિત નથી, એમ ખોટું દૂષણ આપે છે.
સાધુ દેશના આપે છે તે ઉચિત નથી એમ જે કહે છે તે ખોટું દૂષણ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
જે સાધુ નિર્ભય માર્ગ બોલે=ભગવાનના માર્ગને યથાર્થ જાણીને મોહને પરવશ થયા વગર નિર્ભય પણે માર્ગ બોલે છે તે સાધુને દ્વીપના તોલે કહ્યો છે. II3II
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org