SearchBrowseAboutContactDonate
Page Preview
Page 39
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ ગાથાર્થ : કોઈ કહે છે જે ગચ્છથી ટળ્યા નથી=ગચ્છથી બહાર કરાયા નથી, તે નિર્ગુણ પણ સાધુ છે=સાધુના ગુણોથી રહિત હોય તોપણ સાધુ છે. તેમાં પૂર્વપક્ષી યુક્તિ આપે છે – જેનો જ્ઞાતિને બાધ નથી=જેને જ્ઞાતિમાંથી બહાર કરાયા નથી, તેવા નિર્ગુણ પણ જ્ઞાતિમાં ગણાય છે. II3II ભાવાર્થ : કેટલાક કહે છે કે કોઈ સાધુ આચારમાં શિથિલ હોય, તોપણ જ્યાં સુધી તેઓને ગચ્છ બહાર ન કરવામાં આવે ત્યાં સુધી તે સાધુ જ છે. માટે બાહ્ય આચારોમાં શિથિલ હોય, એટલા માત્રથી “આ સાધુ નથી” તેવો વ્યવહાર કરી શકાય નહિ અને તેમાં પૂર્વપક્ષી વ્યવહારની સ્થૂલદષ્ટિથી યુક્તિ આપે છે. શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૨/ગાથા-૩-૪ જેમ જ્ઞાતિમાં રહેલાને જ્યાં સુધી તે જ્ઞાતિવાળા આગેવાનો જ્ઞાતિની બહાર કરે નહિ, ત્યાં સુધી તે પુરુષ તે જ્ઞાતિનો છે, તેમ વ્યવહાર થાય છે. માટે ગચ્છમાં રહેલા નિર્ગુણી સાધુને પણ સુસાધુ માનીને સર્વ વ્યવહાર કરવો જોઈએ. II3II અવતરણિકા : પૂર્વમાં કોઈકનો મત બતાવ્યો, તે ઉચિત નથી. તે બતાવવા અર્થે કહે છે – 51121 : ગુણ અવગુણ ઈમ સરિખા કરતો, તે જિનશાસન-વૈરી રે; નિરગુણ જો નિજછન્દે ચાલે, તો ગચ્છ થાએ સ્વૈરી રે. શ્રીસી ૪ ગાથાર્થ : આ પ્રમાણે=પૂર્વગાથામાં ગચ્છમાં રહેલા નિર્ગુણ સાધુને પણ સાધુ સ્વીકાર્યા એ પ્રમાણે, ગુણ-અવગુણ સરખા કરતો=ગુણવાળા સુસાધુને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005545
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy