SearchBrowseAboutContactDonate
Page Preview
Page 38
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫ શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન|ઢાળ-૨ગાથા-૨-૩ અવતરણિકા : ભગવાનને વિનંતી કરતા કહે છે – ગાથા : શ્રી સીમંધરસાહિબા સુણજો, ભરતક્ષેત્રની વાતો રે; લહું દેવ! કેવલ-રતિ ઇણે યુગે, હું તો તુજ ગુણ રાતો રે; શ્રી સી. ૨ ગાથાર્થ : હે સીમંધરસ્વામી ભગવાન ! આપ ભરતક્ષેત્રની વાતો સાંભળો ભરતક્ષેત્રના જીવો ધર્મના વિષયમાં જે કહે છે તે વિનંતીરૂપે પોતે અત્યાર સુધી કહ્યું કે તમે સાંભળો. હે દેવ ! આ યુગમાં હું તમારા ગુણમાં રક્ત કેવળ રતિ લહુ છું. ll ભાવાર્થ - ધર્મના વિષયમાં ભરતક્ષેત્રના જીવો જે કહે છે તેનું નિરૂપણ ગ્રંથકારશ્રીએ ઢાળ-૧માં કર્યું અને તે નિરૂપણને સામે રાખીને ભગવાનને વિનંતી કરતા કહે છે : હે સીમંધરસ્વામી ભગવાન ! ભરતક્ષેત્રની ધર્મવિષયક મિથ્યા ભ્રાન્તિની વાતો તમે સાંભળો પરંતુ આ સર્વ ભ્રાન્તિમાં મને કોઈ રસ નથી. મને તો આપના વીતરાગતા આદિ ગુણો છે, તે ગુણોમાં રક્ત રહેવામાં જ કેવળ રતિ છે. તેથી એ ફલિત થાય છે કે વીતરાગના ગુણોમાં રક્ત રહેવાથી હું આ સંસારસાગરને તરી શકીશ. પરંતુ ભરતક્ષેત્રની અસંબદ્ધ માન્યતાઓથી સંસારનો પાર પામી શકીશ નહિ. શા અવતરણિકા :વળી, કોઈ અન્ય પ્રકારે અશુદ્ધ માર્ગને માર્ગરૂપે માને છે, તે બતાવે છે – ગાથા : કોઈ કહે જે ગચ્છથી ન ટલ્યા, તે નિરગુણ પણ સાધો રે; નાતિમાંહે નિરગુણ પણ ગણીયે, જસ નહી નાતિ બાધો રે.” શ્રીસી ૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005545
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy