________________
૧૮
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન,ઢાળ-૯ ગાથા-૧૭ અવતરણિકા :
વળી, આગમના સૂત્ર ઉપર નિર્યુક્તિ, ભાષ્યાદિથી કથિત અર્થ સ્વીકારવામાં ન આવે તો યથાર્થ બોધ ન થવાથી આત્માને શાસ્ત્રના પારમાર્થિક ભાવોથી વાસિત કરી શકાય નહિ તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
અર્થ વિના કિમ પામિયે, ભાવ સકલ અનિબદ્ધ? જિનાજી!
ગુરુમુખ વાણી ધારતાં, હોવે સર્વ સુબદ્ધ. જિનજી! ૧૭ ગાથાર્થ :
અર્થ વગર નિર્યુક્તિ, ભાગાદિથી વાચ્ય એવા અર્થ સ્વીકાર્યા વગર, અનિબદ્ધ સૂત્રમાં અનિબદ્ધ, એવા સકલ ભાવ કેમ પામિયે ? અર્થાત્ પામી શકાય નહિ. ગુરુમુખથી સૂત્રમાં અનિબદ્ધ એવી વાણીને ધારતા, સર્વ સુબદ્ધ હોવે સૂત્રમાં અનિબદ્ધ એવા ભાવોની પણ પ્રાપ્તિ થવાથી સર્વ કથન સુબદ્ધ થાય. ll૧૭ll ભાવાર્થ :
નિયુક્તિ, ભાષ્યાદિ દ્વારા પ્રતિમાની પૂજ્યતા સિદ્ધ થતી હોવાથી સ્થાનકવાસીઓ નિયુક્તિ, ભાષ્યાદિને માનતા નથી, તેઓને ગ્રંથકારશ્રી કહે છે– નિર્યુક્તિ, ભાષ્યાદિથી વાચ્ય એવા અર્થને સ્વીકાર્યા વગર સૂત્રમાં જે ભાવો શબ્દોથી નિબદ્ધ નથી પરંતુ અર્થથી પ્રાપ્ત થાય છે તે સકલ ભાવો નિર્યુક્તિ, ભાષ્યાદિન
સ્વીકારીએ તો કઈ રીતે પ્રાપ્ત થાય ? અર્થાત્ પ્રાપ્ત થઈ શકે નહિ, પરંતુ નિર્યુક્તિ, ભાષ્યાદિની રચના કરનારા એવા મહાપુરુષરૂપ ગુરુમુખથી પ્રાપ્ત થતી વાણીને ધારણ કરવામાં આવે તો સૂત્રમાં અનિબદ્ધ હોય તે પણ અર્થ સુબદ્ધ રીતે પ્રાપ્ત થાય છે. તેથી ભગવાને કહેલા યથાર્થ અર્થને ગ્રહણ કરીને તેનાથી આત્માને વાસિત કરવા માટે જેમ સૂત્રને પ્રમાણ માનવું જોઈએ, તેમ સૂત્રના અર્થને કહેનાર નિર્યુક્તિ, ભાષ્યાદિને પણ પ્રમાણ સ્વીકારવા જોઈએ. જેથી સર્વ સુબદ્ધ અર્થની પ્રાપ્તિ થાય. ll૧૭થી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org