SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ 3 શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧/ગાથા-૨-૩-૪ છે કે અમે જ ભગવાનના માર્ગનું રક્ષણ કરીએ છીએ. તેથી ગ્રંથકારશ્રી કહે છે કે તેઓની તે પ્રવૃત્તિને હું કઈ રીતે શુદ્ધ માની શકું ? અર્થાત્ તે શુદ્ધ માર્ગ નથી. III અવતરણિકા : આ એક પ્રકારના સાધુઓ, સૂત્ર વિરુદ્ધ કઈ રીતે ચાલે છે, તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે ગાયા : આલંબન ફૂડાં દેખાડી, મુગધ લોકને પાડે; આણાભંગ તિલક તે કાલું, થાપે આપ નિલાડે રે. જિનજી ! ૩ ગાથાર્થ ફૂડા આલંબન દેખાડી=કલિયુગના ખોટા આલંબન બતાવીને, મુગ્ધ લોકને પાડે છે=શાસ્ત્ર વિરુદ્ધ ક્રિયાઓ કરાવે છે અને તે પ્રવૃત્તિથી તેઓ પોતાના લલાટે આજ્ઞાભંગનું કાળું તિલક સ્થાપન કરે છે. II3|| ભાવાર્થ : : - જે સાધુઓ ભવથી અત્યંત વિરક્ત નથી અને શાતાના અર્થ છે, તેઓ કલિકાલનું ખોટું આલંબન લઈ શાસ્ત્ર વિરુદ્ધ પ્રવૃત્તિ કરે છે અને મુગ્ધ એવા શિષ્યોને એ પ્રકારે પ્રવૃત્તિ કરાવીને ખાડામાં પાડે છે; જેના કારણે તેમના લલાટે આજ્ઞાભંગનું પાપ લાગે છે. માટે ગ્રંથકારશ્રી કહે છે કે તેઓની પ્રવૃત્તિને હું કઈ રીતે શુદ્ધ માનું ? એમ પૂર્વગાથા સાથે સંબંધ છે. 11311 અવતરણિકા : સૂત્ર વિરુદ્ધ ચાલનારા સાધુઓ કેવી મતિ ધરાવે છે જેથી તેઓની પ્રવૃત્તિ સૂત્ર વિરુદ્ધ બને છે, એ સ્પષ્ટ કરવા અર્થે કહે છે ગાથા : Jain Education International ‘વિધિ જોતાં કલિયુગમાં હોવે, તીરથનો ઉચ્છેદ; જિમ ચાલે તિમ ચલવે જઇયે, એહ ધરે મતિભેદ રે.’ - For Personal & Private Use Only જિનજી ! ૪ www.jainelibrary.org
SR No.005545
Book TitleSimandhar Swami 350 Gathanu Stavan Part 01
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages214
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy