________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-૧/ગાથા-૪-૫
ગાથાર્થ :
વિધિ જોતાં=શાસ્ત્રમાં કહેલી સમ્યક્ વિધિને જોતા, કલિયુગમાં તીર્થનો ઉચ્છેદ થાય=વિધિ પ્રમાણે પાળનારા સાધુઓનો અભાવ થવાથી ભગવાનના શાસનનો ઉચ્છેદ થાય. તેથી જેમ ચાલે તેમ ચલાવી લેવું જોઈએ= 1=સાધુ જે પ્રમાણે પોતાની અનુકૂળતા અનુસાર સંયમની આચરણા કરતા હોય તે પ્રમાણે ચલાવી લેવું જોઈએ. એ પ્રમાણે મતિનો ભેદ તેઓ ધારણ કરે છે અર્થાત્ શાસ્ત્રમતિ કરતાં જુદી મતિ ધારણ કરે છે. ||૪|| ભાવાર્થ :
૪
જે સાધુઓ સૂત્ર વિરુદ્ધ આચરણા કરનારા છે તેઓ શાસ્ત્ર વાંચે છે અને શાસ્ત્રમાં બતાવેલી વિધિ દુષ્કર જણાય છે, તેથી તેઓ વિચારે છે કે શાસ્ત્ર પ્રમાણે ક્રિયાઓ કરવાનો આગ્રહ રાખવામાં આવે તો કલિકાલમાં તીર્થનો ઉચ્છેદ થાય. અર્થાત્ શાસ્ત્ર અનુસાર ક્રિયા કરનારા બહુ અલ્પજીવોની પ્રાપ્તિ થાય, તેથી તીર્થની હાનિ થાય. માટે તીર્થના રક્ષણ અર્થે જેમ ચાલે તેમ ચલાવી લેવું જોઈએ અર્થાત્ સાધુઓ પોતાની પ્રકૃતિ પ્રમાણે જે રીતે આચરણા કરતા હોય તે રીતે ચલાવી લેવું જોઈએ, જેથી સાધુઓના સમુદાયની વૃદ્ધિ થાય અને ક્રિયા કરનારો વર્ગ ઘણો મોટો પ્રાપ્ત થાય તો ભગવાનના શાસનનો ઉચ્છેદ થાય નહિ . આ રીતે ધર્મ ક૨ના૨ા ઘણા વર્ગની પ્રાપ્તિરૂપ તીર્થનું રક્ષણ થાય એ પ્રકારની શાસ્ત્રથી ભિન્ન એવી મતિને તે સાધુઓ ધારણ કરે છે. II૪]
ગાથા :
ઈમ ભાષી તે મારગ લોપે, સૂત્રક્રિયા સવિ પીસી; આચરણા-શુદ્ધિ આચરિયે, જોઈ યોગની વીસી રે.
ગાથાર્થ :
ગાથા-૪માં કહ્યું એ પ્રમાણે બોલીને સૂત્રની બધી ક્રિયાઓ પીસીને તેઓ માર્ગનો લોપ કરે છે તો શુદ્ધ માર્ગ શું છે તે સ્પષ્ટ કરે છે.
Jain Education International
જિનજી ! ૫
For Personal & Private Use Only
www.jainelibrary.org