________________
શ્રી સીમંધરસ્વામીનું ૩પ૦ ગાથાનું સ્તવન|ઢાળ-૬/ગાથા-૧૬-૧૭
૧૨૯ પ્રકારે કહીને, જાત્યાદિ દૂષણ માટે જેમ અમારા ગુરુ શુદ્ધ આયારો પાળવામાં શિથિલ છે તેવી જાતિવાળા જ તમે પણ છો તેથી જ તેમનો પક્ષ કરો છો. એ પ્રમાણે દૂષણ કાઢે, તેહ નિટોલ છે એ પ્રકારે બોલનાર અગીતાર્થ સાધુ નઠોર છે. ll૧૬ll ભાવાર્થ :
કોઈ ગીતાર્થ સાધુ સ્વછંદ વિહારી અગીતાર્થ સાધુને ગીતાર્થની નિશ્રામાં જવા માટે હિતશિક્ષા આપે અને શાસ્ત્રવચનના બળથી ગુણવાન ગીતાર્થને પરતંત્ર રહીને આરાધના કરવી ઉચિત છે તેમ સમજાવે તે વખતે અપ્રજ્ઞાપનીય એવા તે અગીતાર્થ સાધુ શું પરુષવચન બોલે છે તે બતાવતાં કહે છે- અમે જેમ સંયમના શુદ્ધ આચારો પાળીએ છીએ તેમ શુદ્ધ આચારો તમે પાળતા હો તો તમે જાણી શકો કે સંયમ શું છે, પરંતુ તમે પણ સમુદાય અનુસાર સંયમના શુદ્ધ આચારો પાળતા નથી. માટે તમારા વચનોની શું કિંમત થાય ? અર્થાત્ તમારા વચન પ્રમાણ બને નહિ એમ કહીને તે હિતશિક્ષા આપનાર ગીતાર્થ સાધુને તે અગીતાર્થ સાધુ કહે કે “જેમ અમારા ગુરુ શિથિલ આચારવાળા છે તેમની જાતિવાળા જ તમે છો માટે તમે તેમનો પક્ષ કરો છો” વસ્તુતઃ અસંયમનો પક્ષપાત કરીને શુદ્ધ આચારોને નાશ કરવા ઉચિત નથી એ પ્રકારના પરુષવચન તે અગીતાર્થ સાધુ ઉપદેશકને કહે છે. આ પ્રકારના વચન કહેનાર અગીતાર્થ સાધુ નિટોલ છે નઠોર છે. II૧૬ના અવતરણિકા :
સ્વછંદ વિહારી એવા અગીતાર્થ સાધુને કોઈ અન્ય ગીતાર્થ સાધુ હિતશિક્ષા આપે ત્યારે તે અગીતાર્થ સાધુ તેમને કેવા પરુષવચન બોલે છે તે પૂર્વગાથામાં બતાવ્યું અને કહ્યું કે તે આવા પરુષવચન બોલતા સાધુ વિટોલ છે. હવે તે નિટોલ કેમ છે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે – ગાથા :
પાસત્યાદિક દૂષણ કાઢી, હીલે જ્ઞાની તેહ રે; યથાછન્દતા વિણ ગુઆણા, નવિ જાણે નિજરેહ રે.
સાહિબ ! ૧૭
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org