________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન|ઢાળ-૬/ગાથા-૧-૨
થવાના અર્થી સાધુએ ભગવાનની આજ્ઞા મનમાં રાખી જ્ઞાનવંત એવા ગીતાર્થ સાધુનો આશ્રય કરવો જોઈએ.
૧૧૦
અહીં વિશેષ એ છે, “અહિંસા પરમ ધર્મ છે” અને સંપૂર્ણ અહિંસાનું પાલન મોક્ષમાર્ગ છે, અન્ય સર્વ આચરણા અહિંસાના પાલનના અંગભૂત છે. વળી, અન્ય સર્વ વ્રતો પણ અહિંસા વ્રતના પાલન અર્થે છે અને શુદ્ધ અહિંસાનું પાલન એટલે સર્વ ઉદ્યમથી આત્માને શુદ્ધ ભાવપ્રાણોમાં ધારણ કરવા માટેનો સુદૃઢ વ્યાપાર. આ સુદૃઢ વ્યાપાર ભગવાનના વચનના પારમાર્થિક બોધ વગર સંભવે નહિ. માટે ભગવાનના વચનના પારમાર્થિક બોધવાળા ગીતાર્થ સાધુ અહિંસાના પાલનમાં પ્રબળ આલંબનરૂપ છે, માટે સાધુએ ક્યારેય ગીતાર્થ સાધુનો ત્યાગ કરવો ઉચિત નથી. ॥૧॥
અવતરણિકા :
પૂર્વગાથામાં કહ્યું કે દશવૈકાલિકસૂત્રમાં પ્રથમ જ્ઞાન અને પછી અહિંસા કહેલ છે. માટે આરાધક સાધુએ ગીતાર્થ સાધુને પરતંત્ર રહેવું જોઈએ. ત્યાં પ્રશ્ન થાય કે અગીતાર્થ સાધુ પણ શાસ્ત્ર દ્વારા સાધુના કર્તવ્ય એવા નિર્દોષ ભિક્ષાદિ આચારોનું જ્ઞાન કરીને એ પ્રમાણે આચાર પાળે છે, તેથી અગીતાર્થ સાધુથી પણ અહિંસાનું પાલન થઈ શકશે. તેના સમાધાનમાં હવે, ગીતાર્થસાધુની નિશ્રા વગર અગીતાર્થસાધુથી અહિંસાનું પાલન કેમ ન થઈ શકે ? તે સ્પષ્ટ કરવા અર્થે કહે છે
ગાયા :
દ્રવ્ય ક્ષેત્ર ને કાલ ન જાણે, ભાવ પુરુષ પડિસેવ રે; નવિ ઉત્સર્ગ લહે અપવાદહ, અગીતારથ નિતમેવ રે. સાહિબ ! ૨
ગાથાર્થ :
:
-
અગીતાર્થ નિત્ય જ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પુરુષ અને પ્રતિસેવાને જાણે નહિ. વળી ઉત્સર્ગ અને અપવાદને નવિ લહે=નવિ જાણે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org