________________
શ્રી સીમંધરસ્વામીનું ૩૫૦ ગાથાનું સ્તવન/ઢાળ-પ/ગાથા-૧૯
અવતરણિકા :
ગાથા-૪માં ગુરુ, ગચ્છ અને ગીતાર્થના પ્રતિબંધનું શું કામ છે ? તેમ કેટલાક કહે છે, તેનું નિરાકરણ કરતા ગુરુથી કઈ રીતે કલ્યાણ થાય છે તે ગાથા-૧૫ સુધી બતાવ્યું અને ગચ્છથી સાધુનું હિત કઈ રીતે થાય છે તે ગાથા-૧૬ થી ગાથા-૧૮ સુધી બતાવ્યું. હવે ગીતાર્થની નિશ્રા વગર સાધુને સંયમ સંભવિત નથી તે બતાવવા અર્થે કહે છે –
ગાથા :
પાલિ વિણ જિમ પાણી ન રહે, જીવ વિના જિમ કાયા રે; ગીતારથ વિણ તિમ મુનિ ન રહે, જૂઠ કષ્ટની માયા રે. શ્રીજિન ! ૧૯
૧૦૩
ગાથાર્થ ઃ
પાળ વગર જેમ પાણી રહે નહિ, જીવ વગર જેમ કાયા રહે નહિ તેમ ગીતાર્થ વગર મુનિ રહે નહિ, જૂઠ=મિથ્યા, કષ્ટની=બાહ્ય સંયમની આચરણા રૂપ કષ્ટની, માયા છે. I[૧૯]
ભાવાર્થ :
જેમ પાળ બાંધેલી હોય તો જ પાણી નિયત સ્થાનમાં રહી શકે છે અને પાળ ન બાંધી હોય તો પાણી નિયત સ્થાનમાં રહી શકે નહિ. વળી જીવ વગર કાયા રહી શકે નહિ; કેમ કે કાયામાંથી જીવ નીકળી જાય તો તે કાયામાં કીડાઓ પડે અને કાયા વિનાશ પામે, તેમ ગીતાર્થ સાધુ વગર મુનિ રહે નહિ અર્થાત્ ગીતાર્થ સાધુ વગર મુનિમાં કલ્યાણની પરંપરાનું કારણ એવો મુનિભાવ રહે નહિ; કેમ કે ગીતાર્થ સાધુ જ તેમની નિશ્રામાં રહેલા સાધુઓને સંયમની સર્વ ઉચિત પ્રવૃત્તિઓ કરાવી સંયમની વૃદ્ધિનું કારણ બને છે અને ગીતાર્થના અભાવમાં કરાયેલી સંયમની બાહ્ય ક્રિયાઓ કદાચ સારી રીતે કરાતી હોય તોપણ મોહના ઉન્મૂલન દ્વારા ચારિત્રની પ્રાપ્તિનું કારણ બને નહિ. તેથી ગીતાર્થ વગર મુનિ જીવી શકે નહિ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org