SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૮ J આલોયણાર્વિશિકા) તથા આલોચનાના યથાર્થ ફળને સમજાવી, મોટું પણ પ્રાયશ્ચિત્ત વહન કરાવી શકે; સત્ત્વની વૃદ્ધિ કરાવી શકે અને આલોચકના પાપની શુદ્ધિ કરાવી શકે. (૭) અપાયદશ :- આલોકસંબંધી અને પરલોકસંબંધી અપાયોને જે જોઈ શકે તેવા ગુરુને અપાયદશી કહેવાય છે. દુકાળ, દુર્ભિક્ષકાળ, દુર્બળતા આદિ આલોક સંબંધી અપાયોને ગુરુએ જાણવા જોઇએ. કારણ કે કોઇ અપરાધ દુકાળ આદિમાં કરાયો હોય, અને તેવો જ અપરાધ દુકાળાદિના કારણ વગર કરાયો હોય, તો સામાન્યથી સમાન દેખાતા તે અપરાધોના પ્રાયશ્ચિત્તમાં ભેદ પડશે. વળી ગુરુમાં પારલૌકિક અપાયો જેવા કે દુર્લભબોધિપણું કે અનંત સંસારની પ્રાપ્તિ આદિને બતાવવાની શક્તિ જોઇએ. કારણ કે આવાં નુકસાનો બતાવીને ગુરુ આલોચકને વાસ્તવિકતાનું ભાન કરાવી તેના ઉપર ઉપકાર કરી શકે છે. (૮) અપરિશ્રાવીઃ- ગુરુ એવા હોવા જોઇએ કે જે આલોચક દ્વારા કહેવાયેલ અકૃત્યોને ક્યારેય પણ અન્યને કહે નહીં, જેથી કરીને ક્યારેય પણ કોઇ અનર્થની પરંપરા ન સર્જાય. આલોચકનાં દુષ્કૃત્યો બીજાને કહેવાથી ગુરુ આલોચકના લાઘવને કરનાર થાય છે. (૯) પરહિતમાં યુકત :- ગુરુ પરોપકાર કરવા માટે હંમેશાં તત્પર હોવા જોઇએ, જેથી પ્રાયશ્ચિત્ત લેવા માટે આવનાર વ્યક્તિના પાપની શુદ્ધિ કેમ થાય તે માટે સમય ફાળવીને તેની ઉચિત વિચારણા કરીને જ તેના સંબંધી પ્રાયશ્ચિત્તમાં યત્ન કરે. જો વિશિષ્ટ પ્રકારનો પરહિતનો પરિણામ ન હોય તો, આલોચના કરનારના પ્રાયશ્ચિત્તની ઉચિત સમાલોચના કર્યા વગર કે તેના સંવેગની વૃદ્ધિ કર્યા વગર પ્રાયશ્ચિત્ત આપવા માટે યત્ન કરે તો, આલોચકનું હિત થઈ શકે નહીં. જો ગુરુ પરહિતમાં તત્પર ન હોય તો, પ્રાયશ્ચિત્ત લેવા આવનારની મોટી કે નાની ભૂલો સાંભળીને તેમના દ્વારા આલોચકની ક્યારેક અવગણના થઇ જાય. જે ગુરુ પરહિતમાં તત્પર નથી હોતા તેમની પાસે આલોચક સરળતાથી પોતાના દોષોને કહી પણ નથી શકતો. (૧૦) સૂક્ષમાભાવ કુશળમતિ:- ગુરુ સૂક્ષ્મભાવોને જોઈ શકે તેવી નિપુણ બુદ્ધિવાળા હોવા જોઈએ, જેથી તેઓ ભાવોનું અનુમાન કરી શકે, અર્થાત્ ઇગિતાદિ ચેષ્ટાઓ વડે બીજાનું ચિત્ત કેવું છે તેનો નિર્ણય કરી શકે. આવા જ ગુરુ બીજાના ભાવને અનુસાર શુદ્ધિ કરી આપવા માટે સમર્થ થઇ શકે છે. જેમનામાં ઉપરમાં કહેલ ગુણોનો સમુદાય નથી હોતો તેવા ગુરુ શુદ્ધિ કરાવવા માટે સમર્થ નથી હોતા. ll૧૫-લા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy