SearchBrowseAboutContactDonate
Page Preview
Page 98
Loading...
Download File
Download File
Page Text
________________ ८७ 0 આલોયણાવિંશિકા] જેથી ઉચિત આલોચના ગ્રહણ કરતી વખતે પણ ગુરુના સંવેગજનક તે તે વચનો દ્વારા આલોચકના સંવેગભાવની વૃદ્ધિ થાય. તે ઉપરાંત ગુરુ આકૃતિથી સૌમ્ય હોય તો આલોચક માટે ઉત્સાહમાં પ્રબળ કારણ બને અને પ્રકૃતિથી પ્રશાંતભાવવાળા હોય જેથી આલોચકના દોષોને સાંભળીને પણ ચિત્તના કોઈ એવા ભાવો ન થવા દે કે જેનાથી આલોચકના ઉત્સાહનો ભંગ થાય. સિદ્ધકર્મા ગુરુનાં વિશેષણો જોયા બાદ યોગ્ય ગુરુ કેવા હોવા જોઇએ તેનો વિશેષ બોધ થાય તે માટે, ગ્રંથકારે સ્વયં રચેલ આલોચના પંચાશકની ગાથા ૧૪-૧૫માં બતાવેલ આલોચના આપવા માટે યોગ્ય ગુરુનાં લક્ષણો ઉપયોગી હોવાથી અહીં બતાવીએ છીએ. (૧) આચારવાન:- ગુરુ જ્ઞાનાચારાદિ પાંચ આચારોનું સમર્ પાલન કરનારા હોવા જોઇએ. કારણ કે જે ગુરુ પોતાના ઉપદેશ અનુસાર આચારોનું પાલન કરતા હોય એવા ગુરુનાં વચન શ્રદ્ધા કરવા યોગ્ય થાય છે. (૨) અવધા૨ક:- આલોચના કરનાર આત્મા જે પાપો જે રીતે કહે છે, તે પાપોને યાદ રાખવા માટે ગુરુ પાસે વિશેષ અવધારણ શક્તિ હોવી જોઇએ. આવી સ્મરણશક્તિવાળા ગુરુ જ આલોચકે કહેલા પૂર્વના અને પાછળના અપરાધોને ધારણ કરી બધા અપરાધોમાં તે પ્રમાણે શુદ્ધિ આપવા સમર્થ થાય છે. (3) વ્યવહા૨વાન - શાસ્ત્રમાં પાંચ પ્રકારના વ્યવહારનું વર્ણન આવે છે. આગમ, શ્રુત, આજ્ઞા, ધારણા અને જીત. આ પાંચ પ્રકારના વ્યવહારમાંથી સુયોગ્ય ગુરુ કોઇપણ વ્યવહારથી યુક્ત હોવા જોઇએ, જેથી તેઓ વ્યવહાર પ્રમાણે શુદ્ધિ કરાવી શકે. (૪) અપવીડક (લાનો ત્યાગ કરાવનાર) - ઘણીવાર આલોચના કરવાની તીવ્ર ઇચ્છા હોવા છતાં પણ શરમને કારણે જીવ પોતાનાં પાપ કહી શકતો નથી. તેથી ગુરુ એવા હોવા જોઇએ કે જે આવા જીવોને વિશેષ ઉપદેશ આપીને, તેને લજ્જામુક્ત કરી શકે. આ રીતે જ ગુરુ આલોચકને અત્યંત ઉપકારક થાય છે. (૫) પ્રકુવી :- ગુરુમાં માત્ર આલોચના સાંભળવાની શક્તિ હોવી પૂરતી નથી, પણ તેમનામાં આલોચિત અતિચારો માટે પ્રાયશ્ચિત્તના પ્રદાન દ્વારા પ્રકર્ષથી શુદ્ધિ કરાવવાની શક્તિ પણ જોઇએ. (૬) નિર્વાહક:- ગુરુમાં સમાલોચના કરીને પ્રાયશ્ચિત્ત લેનારની શક્તિનું અનુમાન કરવાની કુશળતા હોવી જોઇએ. જેથી પ્રાયશ્ચિત્ત લેનાર વ્યકિતને તેની શક્તિ પ્રમાણે ઉચિત પ્રાયશ્ચિત્ત આપે કે જેથી તે તપ, સ્વાધ્યાય આદિ કરવા માટે તે સમર્થ બની શકે. ગુરુમાં એવી શક્તિ હોવી જોઈએ કે આલોચકને ઉચિત અનુશાસન આપી, તેના નિજવીર્યને ઉલ્લસિત કરાવી Y-૭ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy