SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ७८ 0 આલોયણાવિંશિકા). પણ કયારેક દોષ આદિની સંભાવના હોય તો પણ, તે વખતે આ નિર્દોષ છે એ પ્રમાણે સહસાત્કાર કે અનાભોગથી જીવ આત્માને ઠગે છે, અને તેથી અતિચાર પેદા થાય છે. પાછળથી પોતે સમ્યક્ પરીક્ષામાં કંઇક ખામી રાખી છે તેવું ઉપસ્થિત થાય ત્યારે તે અતિચારોનું સભ્ય આલોચનાપૂર્વક મુનિ શોધન કરે છે. અહીં જે માતૃસ્થાન’ એ પ્રકારનો પ્રયોગ ગ્રંથકારે કર્યો છે તે એટલા માટે કર્યો છે કે, જ્યાં સુધી જીવ વીતરાગ ન થાય ત્યાં સુધી જીવને પ્રશસ્ત કે અપ્રશસ્ત કષાયો અવશ્ય વર્તતા હોય છે. તે કષાયોમાં ક્યારેક માયાનો પણ ઉપયોગ વર્તતો હોય છે, પરંતુ તે માયા પ્રશસ્ત હોય ત્યારે અતિચાર હોતો નથી, કે અવ્યક્ત હોય ત્યારે પણ અતિચાર હોતો નથી; પરંતુ જ્યારે પ્રમાદને કારણે શુદ્ધ ભિક્ષાદિની ગવેષણામાં જે માયા થાય છે, તે માયા અતિચાર આપાદક હોય છે. તેથી માયાના વિશેષણરૂપે વાગો’ શબ્દ બતાવ્યો છે. જેનાથી અન્ય માયાની વ્યાવૃત્તિ થાય છે. ll૧૫-૧| અવતરણિકા: પહેલી ગાથામાં કહ્યું કે સંયમમાં યતમાન મુનિને પણ જે કોઇ અતિચાર થાય છે તેની આલોચનાથી શુદ્ધિ કરવી જોઇએ. હવે આલોચના ક્યારે કરવી જોઇએ તે બતાવવા માટે કહે છે - पक्खे चाउम्मासे आलोयण नियमसो उ दायव्वा । गहणं अभिग्गहाण य पुव्वग्गहिए णिवेदेउं ॥२॥ पक्षे चार्तुमास्ये आलोचना नियमशस्तु दातव्या । ग्रहणमभिग्रहाणा च पूर्वगृहीतान्निवेद्य ॥२॥ અqયાર્થ: पक्खे चाउम्मासे पक्षमा यातुसिमां नियमसो उनी । आलोयण આલોચના વાયવ્વા દેવી જોઈએ , અને પુત્રદિપ પહેલાં ગ્રહણ કરેલા (અભિગ્રહોને) fhવેલું નિવેદન કરીને મિહા (નવા) અભિગ્રહોને પણvi ગ્રહણ કરવા જોઇએ. ૩જકારના અર્થમાં છે. ગાથાર્થ: પક્ષમાં કે ચાતુર્માસમાં નિયમથી જ આલોચના દેવી જોઇએ અને પૂર્વે ગ્રહણ કરેલા અભિગ્રહોને નિવેદન કરીને નવા અભિગ્રહો ગ્રહણ કરવા જોઈએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy