SearchBrowseAboutContactDonate
Page Preview
Page 90
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૯ T આલોયણાવિંશિકા ! ભાવાર્થ: સામાન્યથી સંયમી પ્રતિદિન આલોચના દ્વારા અતિચારોથી મલિન બનેલા આત્માની શુદ્ધિ કરતો હોય છે. આમ છતાં, જે કાંઈ પણ સૂક્ષ્મ અશુદ્ધિ રહી ગયેલ હોય તેના નિવારણ અર્થે પંદર દિવસમાં કરી આખા પક્ષમાં થયેલા અતિચારોને યાદ કરીને, વિશેષથી ગુરુ આગળ તેની આલોચના કરવી જોઇએ. તે જ રીતે ચાર મહિનાના અંતે પણ જે અતિચારોનું સેવન થયું હોય, તે અતિચારોને પુનઃ સ્મરણ કરીને, ફરી આલોચના કરવી જોઇએ, જેથી વિશેષ પ્રકારની શુદ્ધિ થવાને કારણે અતિચારોથી મલિન થયેલ સંયમ વિશુદ્ધવિશુદ્ધતર બને. અપ્રમાદભાવની વૃદ્ધિથી સંયમનો પ્રકર્ષ બનાવવા માટે મુનિ વિશેષ પ્રકારના અભિગ્રહો કરતા હોય છે. તેથી સમયે સમયે જેમ ભિક્ષા કે શિક્ષાદ્ધિક આદિ સાધ્વાચાર વિષયક અતિચારોની આલોચના કરવાની હોય છે, તેમ જે અભિગ્રહો ગ્રહણ કર્યા હોય તે અભિગ્રહો સંબધી અતિચારોની પણ આલોચના કરવી જોઇએ, અને પક્ષમાં અને ચાતુર્માસમાં નવા અભિગ્રહો ગ્રહણ કરવા જોઇએ. આનાથી ફલિત થાય છે કે અપ્રમાદભાવની વૃદ્ધિમાં જેમ આલોચના મહત્ત્વનું અંગ છે, તેમ નવા નવા અભિગ્રહો કરવા તે પણ અપ્રમાદભાવ માટે અતિઆવશ્યક છે. આમ તો આલોચના કરવાના કાળને બતાવવા અર્થે આ ગાથા અહીં મૂકેલ છે. પરંતુ ‘પંચાશક’ પ્રમાણે મૂળમાં આ ગાથા પૂ. શ્રી ભદ્રબાહસ્વામીએ કહેલ છે અને તે આખી ગાથાને તે રીતે જ અહીંગ્રહણ કરેલ છે. તેને કારણે આ ગાળામાં નિબદ્ધ અભિગ્રહની વાત પણ અહીં આવેલ હોય તેમ લાગે છે. II૧૫-શા અવતરણિકા: પૂર્વની ગાથામાં મુનિએ આલોચના કરવી જોઇએ તેમ બતાવ્યું, હવે આલોચનાનું સ્વરૂપ અને આલોચનાના પર્યાયવાચી શબ્દો બતાવે છે - आलोयणा पयडणा भावस्स सदोसकहणमिइ गज्झो । गुरुणो एसा य तहा सुविजनाएण विनेआ ॥३।। आलोचना प्रकटना भावस्य स्वदोषकथनमिति ग्राह्यः। गुरोरेषा च तथा सुवैद्यज्ञातेन विज्ञेया ॥३।। Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy