SearchBrowseAboutContactDonate
Page Preview
Page 76
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૫ Uભિક્ષાવિંશિકા] અવતરણિકા: અઢારમી ગાથામાં કહ્યું કે ભાવથી નિર્મમ સાધુ આહારાદિમાં યત્નવાળો હોય તો નિયમથી નિર્વાણ પામે છે. ત્યાં પ્રશ્ન થાય કે પૂર્વની ગાથાઓ પ્રમાણે આહારાદિના દોષોનું જ્ઞાન થાય પરંતુ પોતે જ્યારે આહારાદિ ગ્રહણ કરવા જાય ત્યારે તે આહારાદિમાં અશુદ્ધિ છે કે નહીં તેનું જ્ઞાન તેને ન થાય તો સંયમની શુદ્ધિ કઈ રીતે થઇ શકે? તેથી કહે છે - जाणइ असुद्धिमेसो आहाराईण सुत्तभणियाणं । सम्मुवउत्तो नियमा पिंडेसणभणियविहिणा य ॥२०॥ जानात्यशुद्धिमेष आहारादीनां सूत्रभणितानाम् । सम्यगुपयुक्तो नियमात्पिण्डैषणभणितविधिना च ।।२०।। અqયાર્થઃ વિસામળિયવિહિન ચ પિંડ એષણામાં કહેલ વિધિથી જ સમ્ભવત્ત સમ્ય ઉપયુક્ત એવો સો આ=સાધુ સુત્તળિયાનું સૂત્રમાં ભણિત એવા મહામારૂં ગરિમ્ આહારાદિની અશુદ્ધિને નિયમ, નિયમથી ગાડું જાણે છે. ગાથાર્થ - પિંડ એષણામાં કહેલ વિધિથી જ સમ્યગ્ ઉપયુક્ત એવો સાધુ સૂત્રમાં ભણિત એવા આહારાદિની અશુદ્ધિને નિયમથી જાણે છે. ભાવાર્થ: પિડેષણાને કહેનારાં શાસ્ત્રોમાં ભિક્ષા ગ્રહણ કરતી વખતે તે ભિક્ષામાં દોષો છે કે નહીં તેનો નિર્ણય કરવા માટે પૃચ્છા આદિ વિધિ બતાવી છે. તે વિધિ પ્રમાણે જો કોઇ સાધુ સમ્યગૂ ઉપયુકત હોય તો તે સાધુને સૂત્રમાં કહેવાયેલા આહારાદિની અશુદ્ધિનું અવશ્ય જ્ઞાન થાય છે. અહીં આહારાદિને ‘સૂત્રમાં કહેવાયેલા” એવું વિશેષણ આપેલું છે એટલે કે સાધુને કયા પ્રસંગે શું ગ્રહણ કરવાનું છે તે સ્ત્રમાં કહ્યું છે. તે મુજબ તે પ્રસંગે તે ગ્રહણ કરતો હોય તો તે આહારાદિ અનુજ્ઞાત છે. તે સિવાયના પ્રસંગે આહારાદિ ગ્રહણ કરાતો હોય તો તે આહારાદિ સૂત્રથી અનનુજ્ઞાત કહેવાય. આવા સૂત્રથી અનુજ્ઞાત ન હોય તેવા આહારાદિની વ્યાવૃત્તિ કરવા માટે “સૂત્રમાં વિશેષણ આપ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy