SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૬૪ | Uભિક્ષાવિંશિકાT જેઓ વળી સર્વ દોષોથી રહિત વસતિને મેળવીને પણ આસંગભાવવાળા છે, તેઓ તે વસતિનો સંયમની ક્રિયામાં ઉપયોગ કરતા હોય તો પણ તે વસતિનો પરિભોગ વિધિપૂર્વકનો નથી, અને તેથી તે વસતિ પરિગ્રહરૂપ છે, અને સંયમવૃદ્ધિનું કારણ નથી. આથી જ શાસ્ત્રકારો તે વસતિને ઘર કહે છે. અહીં વિશેષ એ છે કે વસતિને ગ્રહણ કર્યા પછી સંયમની વૃદ્ધિ થાય તે રીતે જ સ્વાધ્યાય આદિમાં સુદઢ યત્ન કરતા હોય એવા સાધુઓનો તે વસતિનો પરિભોગ વિધિપૂર્વકનો છે. જ્યારે અન્ય માટે તે વસતિ પોતાને રહેવાનું સ્થાન છે, તેથી તે વસતિ તેના માટે ઘરની જેમ કર્મબંધનું કારણ છે. II૧3-૧૮ અવતરણિકા: પૂર્વની ગાથાઓના કથનનું નિગમન કરતાં કહે છે - एवं आहाराइसु जुत्तवओ निम्ममस्स भावेण । नियमेण धम्मदेहारोगाओ होइ निव्वाणं ॥१९॥ एवमाहारादिषु युक्तवतो निर्ममस्य भावेन । नियमेन धर्मदेहाऽरोग्यात् भवति निर्वाणम् ॥१९॥ અqયાર્થઃ __ एवं आहाराइसु जुत्तवओ भावीरीते मामा यत्नवाणा भावेण निम्ममस्स ભાવથી નિર્મમ=મમતા રહિત મુનિને મેદાનો ધર્મદહનું આરોગ્ય થવાથી નિયમેળ નિયમથી નિવ્વા દોફ નિર્વાણ પ્રાપ્ત થાય છે. ગાથાર્થ: આવી રીતે આહીરાદિમાં યત્નવાળા, ભાવથી મમતા રહિત મુનિને ધર્મદહનું આરોગ્ય થવાથી નિયમથી નિર્વાણ પ્રાપ્ત થાય છે. ભાવાર્થ પૂર્વની ગાથાઓમાં બતાવ્યું એ પ્રકારે, વિશેષ કારણ ન હોય તો આહારાદિની શુદ્ધિમાં જે સાધુ યત્ન કરતો હોય અને ભાવથી વસ્ત્ર-પાત્ર આદિમાં નિર્મમ પરિણામવાળો હોય તે સાધુ, તપ-સંયમના સેવન દ્વારા ક્રમે કરીને ધર્મદહના વિશેષ-વિશેષતર આરોગ્યને પામે છે અને અંતે અવશ્ય નિર્વાણને પામે છે.JI૧3-૧TI Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy