SearchBrowseAboutContactDonate
Page Preview
Page 73
Loading...
Download File
Download File
Page Text
________________ | _ ભિક્ષાવિંશિકાd ૬૨ ભાવાર્થ : વસતિમાં આધાકર્માદિ ૪૨ દોષોમાંથી જે ઘટે તે યથાયોગ્ય દોષો જોડવાના છે. તે વસતિના વિષયમાં મૂળગુણ અશુદ્ધ અને ઉત્તરગુણ અશુદ્ધ એમ બે ભેદ કહેલ છે. મૂળગુણ અશુદ્ધ શવ્યા અને ઉત્તરગુણ અશુદ્ધ શા તેના દળની અપેક્ષાએ વિચારવાની છે. વસતિ માટેની સામગ્રી એ દળ છે. સાધુ માટે જમકાન વગેરે સામગ્રીથી બનાવેલું હોય તે મકાન મૂળગુણ અશુદ્ધ કહેવાય અને પોતાના માટે બનાવેલ મકાનમાં પણ સાધુને ઉપયોગી થાય તે દૃષ્ટિથી દરવાજા આદિ કરવામાં આવે તો તે ઉત્તરગુણ અશુદ્ધ કહેવાય. આ પ્રકારે એના અવાંતર અનેક ભેદોની વિચારણા સ્વયં કરવા ગ્રંથકારે નિર્દેશ કરેલ છે. II૧3-૧૬ના અવતરણિકા: વસતિ વિષયક આધાકર્માદિ દોષો બતાવ્યા બાદ વસતિમાં અન્ય દોષોની શુદ્ધિ બતાવવા માટે કહે છે - एसा वित्थीपंडगपसुरहिया जाण सुद्धिसंपुन्ना । अनापीडाइ तहा उग्गहसुद्धा मुणेयव्वा ॥१७॥ एषाऽपि स्त्रीपण्डकपशुरहिता जानीहि शुद्धिसंपूर्णा । अन्यापीडया तथाऽवग्रहशुद्धा ज्ञातव्या ॥१७।। અoqયાર્થ: સા વિ આ પણ=વસતિ પણ સુરક્રિયા સ્ત્રી, નપુંસક અને પશુના વાસ વિનાની હોય ત્યારે સુદ્ધિસંપુત્રા પૂર્ણ શુદ્ધ ગાબ જાણવી તહાં તથા અન્નપીડા; અન્યને અપીડાથી સુદ્ધાં અવગ્રહશુદ્ધ મુળયા જાણવી. ગાથાર્થ: વસતિ પણ સ્ત્રી, નપુંસક અને પશુના વાસ વિનાની હોય ત્યારે પૂર્ણ શુદ્ધ જાણવી તથા અન્યને અપીડાથી અવગ્રહશુદ્ધ જાણવી. ભાવાર્થ: આધાકર્માદિ દોષથી રહિત વસતિ પણ સ્ત્રી, નપુંસક કે પશુની વસતિવાળી હોય તો સાધુને માટે તે વસતિ શુદ્ધ ન કહેવાય. તેથી સંયમીએ જેમ આધાકર્માદિ દોષોનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy