SearchBrowseAboutContactDonate
Page Preview
Page 67
Loading...
Download File
Download File
Page Text
________________ 7 ભિક્ષાવિંશિકા ૫૬ નહીં તેટલો આહાર પ્રમાણોપેત કહેવાય. પુરુષને તે બત્રીશ કોળિયા પ્રમાણ અને સ્ત્રીઓને અઠ્યાવીશ કોળિયા પ્રમાણ કહેલ છે. તેથી અધિક વાપરવું તે અપ્રમાણ દોષ છે. (૩) અંગાર દોષ :- ગોચરી વાપરતાં કોઇ ઇષ્ટ પદાર્થ પ્રત્યે રાગનો સ્પર્શ થાય ત્યારે અંશે અંશે સંયમને નાશ કરવામાં કારણીભૂત એવો અંગાર દોષ લાગે છે. (૪) ધૂમ દોષ ઃ- અનિષ્ટ આહાર ઉપર દ્વેષ કરીને વાપરવું તે ધૂમ દોષ. II૧૩-૯લા : અવતરણકા: આઠમી ગાથાના ભાવાર્થમાં આહારનો ભોગ પાંચ દોષ રહિત કરવો એમ કહ્યું હતું અને નવમી ગાથામાં તેમાંથી ચાર દોષો બતાવ્યા. પાંચમો દોષ તે છે કે હવેની ગાથામાં જે ગોચરી વાપરવાનાં ૬ કારણો બતાવવાના છે તે કારણો વગર આહાર વાપરવો. તેથી હવે ગોચરી કયાં છ કારણો ઉપસ્થિત થાય તો વપરાય તે બતાવે છે - वे यणवे यावच्चे इरियट्ठाए य संजमट्ठाए । तह पाणवत्तियाए छट्ठ पुण धम्मचिंताए || १० || वेदनवैयावृत्ये ईर्यार्थं च संयमार्थं च 1 तथा प्राणवृत्त्यै षष्ठं षष्ठं पुनर्धर्मचिन्तायै ||o ૦|| અન્વયાર્થ: વેચળવેયાવન્દ્રે વેદના શમાવવા, વૈયાવચ્ચ કરવા, અને રૂયિકાણ્ ય ઇર્યાસમિતિના પાલન માટે, સંગમકાર્ સંયમની સાધના માટે તર્ફે વાળવત્તિયાદ્ અને "પ્રાણરક્ષા માટે, છઠ્ઠ પુળ છઠું (કારણ) વળી ધમ્મચિંતાણ્ ધર્મચિંતા કરી શકાય તે માટે (મુનિ આહાર વાપરે છે.) ગાથાર્થ: વેદના શમાવવા, વૈયાવચ્ચ કરવા, અને ઇર્યાસમિતિના પાલન માટે, ‘સંયમની સાધના માટે અને "પ્રાણની રક્ષા માટે, છઠ્ઠું કારણ વળી ધર્મચિંતા કરી શકાય તે માટે મુનિ આહાર વાપરે છે. ભાવાર્થ: નીચે બતાવેલાં છ કારણો ઊભાં થાય તો જ મુનિ ભોજન કરે છે. (૧) ક્ષુધાની વેદના સહન ન થાય. (૨) આહાર વિના અશક્ત (ભૂખ્યા) શરીરે વૈયાવચ્ચાદિ કરી ન શકાય. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy