SearchBrowseAboutContactDonate
Page Preview
Page 66
Loading...
Download File
Download File
Page Text
________________ પપ 0 ભિક્ષાવિંશિકાd ગાથાર્થ: ભગવાને પૂર્વની ગાથાઓમાં બતાવેલા બેતાલીશ દોષોથી રહિત આહાર ગ્રહણ કરવાની સાધુને અનુજ્ઞા આપેલી છે. આ ઉપરાંત ગાથામાં બતાવાશે તે ૬ કારણોથી આહારનો ભોગ પણ સંયોજનાદિ ચાર દોષથી રહિત કરવાનું કહેલ છે. તેનાથી એ પ્રાપ્ત થાય કે ઉત્સર્ગથી સાધુએ ૪ર દોષરહિત ભિક્ષા લાવવાની છે અને ૬ કારણોમાંથી કોઈ પણ કારણ વિદ્યમાન હોય ત્યારે જ સાધુને આહાર વાપરવાની અનુજ્ઞા છે અને આહાર વાપરતી વખતે સંયોજનાદિ ચાર દોષોમાંથી કોઇ પણ દોષ ન લાગે તેવા ઉપયોગપૂર્વક આહાર વાપરવાનો છે, તો જ સંયમની શુદ્ધિ થાય. ૧૩-૮ના અવતણિકા: સાધુને ગોચરી વાપરવામાં લાગતા સંયોજનાદિ ચાર દોષો બતાવે છે - दव्वाईसंजोयणमिह बत्तीसाहिगं तु अपमाणं । रागेण सइंगालं दोसेण सधूमगं जाण ।।९।। द्रव्यादिसंयोजनमिह द्वात्रिंशदधिकं त्वप्रमाणम् । रागेण साङ्गारं द्वेषेण सधूमकं जानीहि ॥९॥ અqયાર્થ: વાસંનીયfમદ અહીં=સાધુને ભિક્ષા વાપરવાના વિષયમાં દ્રવ્યાદિનું સંયોજન, વીદિયા તુમ મા બત્રીસ કોળિયાથી અધિક આહાર તે અપ્રમાણ દોષ, વાળ સ$ા રાગથી વાપરવું તે અંગાર દોષ લોસેળ સધૂમ અને દ્વેષથી વાપરવું તે ધૂમ દોષ નાગ જાણવો. ગાથાર્થ: - સાધુને ભિક્ષા વાપરવાના વિષયમાં દ્રવ્યાદિનું સંયોજન (તે સંયોજના દોષ), બત્રીસ કોળિયાથી અધિક આહાર તે અપ્રમાણ દોષ, રાગથી વાપરવું તે અંગાર દોષ અને વેષથી વાપરવું તે ધૂમ દોષ જાણવો. ભાવાર્થ:(૧) સંયોજના દોષ :- એક દ્રવ્ય સાથે બીજું દ્રવ્ય મેળવીને વાપરવું તે સંયોજના દોષ (૨) અપ્રમાણ દોષ:- જેટલા આહારથી શરીરબળ, ધીરજ અને સંયમનાં કાર્યો સિદાય Y-૫ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy