SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૩ અવતરણિકા: ભિક્ષાવિંશિકા) હવે એષણાના દસ દોષો બતાવે છે. संकियमक्खियनिक्खित्तपिहियसाहरियदायगुम्मीसे । अपरिणयलित्तछड्डिय इसणदोसा दस हवंति ॥७॥ शङ्कितम्रक्षितनिक्षिप्तपिहितसंहृतदत्तकोन्मिश्राः अपरिणतलिप्तच्छर्दिता एषणदोषा दश भवन्ति ॥७॥ અન્વયાર્થ: સંજિય શંકિત, મણ્વિય પ્રક્ષિત, નિવૃિત્ત નિશ્ચિત, વિત્તિય 'પિહિત, સાહીિય પસંદંત, વાયવુમ્મીત્તે ‘દાયક, ઉન્મિત્ર, અપળિય ‘અપરિણત, નિત્ત લિમ, ડ્ડિય છર્દિત (એ પ્રમાણે) રૂસળવોસા સ હવંતિ દસ ગ્રહણૈષણાના દોષો થાય છે. ગાથાર્થ: શંકિત, પ્રક્ષિત, નિક્ષિપ્ત, ‘પિહિત, પસંહૃત, ‘દાયક, ઉન્મિશ્ર, ‘અપરિણત, કલિસ અને છર્દિત એ પ્રમાણે દસ ગ્રહણૈષણાના દોષો થાય છે. ભાવાર્થ: (૧) શંકિત :- આધાકર્મ વગેરે સોળ દોષમાંથી કોઇ પણ દોષની શંકા હોય છતાં સાધુ તે પિંડ ગ્રહણ કરે તો તે શંકિત દોષવાળો આહાર જાણવો. (૨) મ્રક્ષિત :- સચિત્ત કે નિંઘ એવી અચિત્ત વસ્તુથી ખરડાયેલા અન્નાદિરૂપ પ્રક્ષિત આહાર વહોરવો તે પ્રક્ષિત દોષ. (3) નિક્ષિપ્ત:- અચિત્ત પણ આહારાદિ સચિત્ત ઉપર મૂકેલું હોય તે વહોરવું તે નિક્ષિપ્ત દોષ. (૪) પિહિત :- સચિત્ત ફળ વગેરેથી અન્નાદિ ઢાંકેલું હોય કે સચિત્તાદિ ઉપર અન્નાદિ મૂકેલ હોય તે પિહિત કહેવાય. તેવો આહાર વહોરવો તે પિહિત દોષ. (૫) સંહત :- સાધુને વહોરાવવા માટે કોઇ ખાલી ભાજનની આવશ્યકતા હોય,પરંતુ તે ભાજનમાં સચિત્ત કે અચિત્ત વસ્તુ હોય તેને અન્યત્ર સચિત્ત કે અચિત્તમાં ખાલી કરીને વહોરાવે ત્યારે સંહત દોષની પ્રાપ્તિ થાય. જો ભાજનમાં અચિત્ત જ હોય અને તેને અચિત્તમાં જ ખાલી કરવામાં આવે તો સંહત દોષ ન લાગે. (૬) દાયક :- બાળક, નોકર, ગર્ભવતી સ્ત્રી વગેરે અયોગ્ય દાતારના હાથે વહોરવાથી દાયક દોષ લાગે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy