SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ 1 ભિક્ષાવિંશિકા7 પર (3) નિમિત્તપિંડ :- લક્ષણ, જ્યોતિષાદિ શાસ્ત્રોના બળે ગૃહસ્થને ભૂત-ભાવિ કે વર્તમાનમાં થયેલી, થનારી કે થતી લાભ-હાનિ જણાવી આહારાદિ મેળવે તે નિમિત્તપિંડ દોષવાળો આહાર કહેવાય. (૪) આજીવપિંડ :- ગૃહસ્થમાં જે જાતિ-કુલ વગેરે વિશિષ્ટ હોય તે જાતિ-કુલ વગેરે પોતાનાં પણ છે એમ જણાવી આહારાદિ ગ્રહણ કરવાં તે આજીવકપિંડ દોષવાળો આહાર કહેવાય. (૫) વનીપકપિંડ:- સાધુ બ્રાહ્મણ આદિના ત્યાં વહોરવા ગયો હોય ત્યારે, તેનાં શાસ્ત્રોની કોઇક સારી વાત ગ્રહણ કરીને તેની પ્રશંસા દ્વારા જે સારી ભિક્ષા મેળવે તે વનીપકપિંડ કહેવાય. (૬) ચિકિત્સાપિંડ:- ગૃહસ્થને રોગના ઉપચાર માટેના ઉપાયો જણાવી સાધુ આહારાદિ મેળવે તે ચિકિત્સાપિંડ છે. (૭) ક્રોધપિંડ :- ગૃહસ્થની આગળ ભય પેદા કરી આહારાદિ મેળવે તે ક્રોધિપંડ કહેવાય. (૮) માનપિંડ :- ગૃહસ્થને અભિમાને ચઢાવીને તેણે અભિમાનથી આપેલો આહારાદિ પિંડ લાવે તે સાધુનો માનપિંડ દોષવાળો આહાર કહેવાય. (૯) માયાપિંડ :- વારંવાર પિંડ મેળવવા માટે જુદા જુદા વેષ બદલીને કે જુદી જુદી ભાષા બોલીને, માયા કરીને આહારાદિ લાવે તે માયાપિંડ દોષવાળો આહાર કહેવાય. (૧૦) લોભપિંડ:- ઘણા અથવા મનોભિષ્ટ આહારાદિ મેળવવાના લોભે ઘણાં ઘરોમાં ફરનારનો લાવેલો પિંડ તે લોભપિંડ કહેવાય. (૧૧) પૂર્વપદ્માત્ સંસ્તવ પિંડ :- પૂર્વનાં સંબંધી માતા-પિતા વગેરે તથા પશ્ચાત્નાં સંબંધી સાસુ-સસરા વગેરે સંબંધને દાન દેનારમાં ઘટાડે અને તે રીતે આહારાદિ લાવે તે પૂર્વપશ્ચાત્ સંસ્તવ પિંડ કહેવાય. (૧૨) વિદ્યાપિંડ:- પોતાને સિદ્ધ થયેલ વિદ્યા વગેરેનો ઉપયોગ કરી આહારાદિ મેળવે તે વિદ્યાપિંડ કહેવાય. (૧૩) મંત્રપિંડ :- મંત્રના પ્રયોગથી મેળવેલો પિંડ તે મંત્રપિંડ કહેવાય. (૧૪) ચૂર્ણપિંડ :- નેત્રાદિને આંજવા દ્વારા અદશ્ય થઇ શકાય, રૂપ બદલી શકાય, તેવી શક્તિવાળાં ચૂર્ણોના પ્રયોગથી મેળવેલો પિંડ તે ચૂર્ણપિંડ દોષવાળો આહાર કહેવાય. (૧૫) યોગપિંડ :- પગે લેપ કરવા વગેરેથી સૌભાગ્ય, દુર્ભાગ્ય વગેરે થાય તે રૂપ યોગના પ્રયોગથી મેળવેલ આહારાદિ યોગપિંડ કહેવાય. (૧૬) મૂળકર્મપિંડ:- કોઇના ગર્ભસ્થંભન આદિ કરીને આહાર મેળવવો તે મૂળકર્મ પિંડ કહેવાય. ||૧૩-૫/૬][ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy