SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ભાવાર્થ: ¬શિક્ષાવિંશિકા ગાથાર્થ: આરોવનશિક્ષામાં યતિને પ્રથમ પ્રીતિ જ થાય છે, પાછળથી વળી ભક્તિ થાય છે. ત્યાર પછી આગમમાત્ર હેતુ છે, ત્યારપછી એકાન્તથી અસંગતારૂપ આસેવનશિક્ષા હોય છે. ૪૨ યતિ ગુરુ પાસેથી પ્રથમ સૂત્ર અને અર્થ ગ્રહણ કરે છે. ત્યાર પછી આસેવનશિક્ષા ગ્રહણ કરે છે. આ આસેવનશિક્ષાના પ્રારંભકાળમાં યતિને આસેવનશિક્ષા પોતાના લાભનું કારણ દેખાય છે, તેથી ત્યાં પ્રીતિ વર્તે છે. તેથી તે આસેવનશિક્ષા પ્રીતિઅનુષ્ઠાન છે. જેમ જેમ એ પ્રીતિપૂર્વક આસેવનશિક્ષા ગ્રહણ કરે છે, તેમ તેમ તેના ભાવરોગો ઘટતા જાય છે એવો તેને અનુભવ થાય છે. તેથી તે આસેવનશિક્ષા ભક્તિથી કરે છે, એટલે કે ગુણો પ્રત્યેના બહુમાનથી તે આસેવનશિક્ષા કરે છે. આ કક્ષામાં ભક્તિઅનુષ્ઠાન વર્તે છે. પુનઃ પુનઃ અભ્યાસને કારણે યતિ જ્યારે આસેવનશિક્ષા ભગવાનના વચનાનુસાર યથાવત્ કરી શકે છે, ત્યારે તે અનુષ્ઠાન સંબંધી ભગવાનના વચનનો બોધ તેને હોય છે; અને તેના સ્મરણપૂર્વક તે પ્રવૃત્તિ કરે છે. તેથી તે અનુષ્ઠાનના સેવનથી ભાવરોગો વિશેષ અલ્પ થતા હોય છે, તેથી આગમમાં અપેક્ષિત તે તે અનુષ્ઠાનથી નિષ્પાદ્ય તે તે ભાવો તે કરી શકે છે. તેથી તે આસેવનશિક્ષા વચનાનુષ્ઠાનરૂપે વર્તે છે. આ રીતે વચનાનુષ્ઠાનરૂપ આસેવનશિક્ષા જ્યારે યતિને અતિ અભ્યસ્ત થઇ જાય છે ત્યારે, વચનની અપેક્ષા રાખ્યા વગર જ આત્માના શુદ્ધ ભાવોને તે પ્રવર્તાવી શકે છે. આ જ અસંગઅનુષ્ઠાનરૂપ આસેવનશિક્ષા છે. આ અસંગઅનુષ્ઠાન, ચંદનગંધન્યાયથી આત્માની પ્રકૃતિરૂપે ઉચિત પ્રવૃત્તિ કરાવે છે. Jain Education International અગિયારમી યતિધર્મવિંશિકામાં મુનિને વચનક્ષમા અને ધર્મક્ષમા હોય છે એમ કહીને, મુનિને વચનઅનુષ્ઠાન અને અસંગઅનુષ્ઠાન હોય છે એમ સ્થાપન કર્યું; અને હવે અહીં પ્રીતિ આદિ ચારે અનુષ્ઠાન ક્રમસર હોય છે એમ કહે છે. આની પાછળનું વિશેષ તાત્પર્ય એ ભાસે છે કે, સંયમ ગ્રહણ કરવા પૂર્વે યતિને સમિતિ-ગુપ્તિનો બોધ હોય છે, અને પ્રાયઃ કરીને દસ પ્રકારના યતિધર્મનો પણ તેને બોધ હોય છે. તેથી તે બોધને અનુરૂપ સુદઢ યત્નથી સમિતિ-ગુપ્તિમાં અને દસ પ્રકારના યતિધર્મમાં યત્ન કરે તો તે સમિતિ-ગુષિવિષયક અને દશ પ્રકારના યતિધર્મવિષયક તેને વચનાનુષ્ઠાન હોય છે. તેને આશ્રયીને જ અગિયારમી વિંશિકામાં મુનિને વચનક્ષમા અને ધર્મક્ષમા હોય છે તેમ કહેલ છે. આમ છતાં, સંયમ ગ્રહણ કર્યા પછી વિશેષ ભૂમિકાની નિષ્પત્તિ અર્થે તેને નવું નવું શ્રુત ગ્રહણ કરવાનું હોય છે. આથી ધમ્મુત્તાં વડ ”પદ દ્વારા ચારિત્રધર્મની પ્રાપ્તિ પછી શ્રુતધર્મની વૃદ્ધિની 66 6′ For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy