SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ Uશિક્ષાવિંશિકા) છે. ત્યાં પ્રશ્ન થાય કે યતિની દુષ્કર ક્રિયા સુખનો હેતુ કેવી રીતે બને? તે બતાવતાં કહે છે - जं सम्मनाणमेयस्स तत्तसंवेयणं निओगेण । अन्नेहि वि भणियमओ विजसंविजपदमिसिणो ॥१६।। यत्सम्यग्ज्ञानमेतस्य तत्त्वसंवेदनं नियोगेन । अन्यैरपि भणितमतो वेद्यसंवेद्यपदमृषेः _ Iધા. અqયાર્થઃ નં જે કારણથી યજ્ઞ આનું યતિનું સમૂનાગમ સમ્યજ્ઞાન નિયમોને નિયમથી તસંવેય તત્ત્વસંવેદનરૂપ હોય છે તે કારણથી યતિની દુષ્કર પણ આસેવનક્રિયા સુખનો હેતુ છે.) ગગો આથી કરીને મહિ વિ અન્ય વડે પણ લિ ઋષિને વિનસંવિનમ્ વેદ્યસંવેદ્યપદ મણિયમ કહેવાયું છે. ગાથાર્થ: જે કારણથી યતિનું સમ્યજ્ઞાન નિયમથી તત્ત્વસંવેદનરૂપ હોય છે તે કારણથી, યતિની દુષ્કર પણ આસેવનક્રિયા સુખનો હેતુ છે. આથી કરીને અન્ય વડે પણ ઋષિને વેદસંવેદ્યપદ કહેવાયું છે. ભાવાર્થ: યતિની દુષ્કર પણ આસેવનશિક્ષા સુખનો હેતુ થાય છે, કારણ કે યતિને નક્કી તત્ત્વસંવેદનરૂપ સમજ્ઞાન હોય છે. તેથી જ તેઓની આસેવનશિક્ષા ભાવરોગના શમન દ્વારા અવશ્ય સુખનો હેતુ બને છે. જેમ ઇન્દ્રિયોને અતિ પરવશ બનેલો રોગી રોગક્ષયનો અર્થી હોય તો પણ વૈદ્યના સૂચન પ્રમાણે સમ્ય યત્ન નથી કરી શકતો, એટલે જ એનો રોગ પણ નાશ નથી થતો; પરંતુ જેણે પોતાની ઇન્દ્રિયો ઉપર તે પ્રકારનો કાબૂ પ્રાપ્ત કર્યો હોય છે, તે વૈદ્યના સૂચન પ્રમાણે દુષ્કર પણ ચિકિત્સા કરીને આરોગ્ય પ્રાપ્ત કરી શકે છે. સંસારથી અત્યંત ભય પામેલો હોવાને કારણે મુનિ પણ તે પ્રમાણે ઇન્દ્રિયો ઉપર પોતાનું પ્રભુત્વ મેળવે છે. તેથી ભગવાનના વચનાનુસાર પોતાની ઇન્દ્રિયોને પ્રવર્તાવી શકે છે. આથી જ તેઓ દશ પ્રકારના યતિધર્મને સમ્યમ્ સેવી શકે છે. આવા મુનિ જ્યારે ગુરુ પાસેથી ગ્રહણશિક્ષા અને આસેવનશિક્ષા પ્રાપ્ત કરે છે ત્યારે, ઉચિત ભાવોને ઉલ્લસિત કરવા સમર્થ બની તે પ્રકારે આસેવનશિક્ષામાં યત્ન કરે છે. આથી જ તેનું જ્ઞાન સૂત્રના પરમાર્થના સંવેદનરૂપ હોય છે. તેથી જેમ જેમ તે નવું સૂત્ર ગ્રહણ કરે છે તેમ તેમ તે સૂત્રને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy