SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ 30 Uશિક્ષાવિંશિકા) સારી જાતના બીજને મધુર પાણીનો યોગ થાય છે ત્યારે બીજમાંથી જે વૃક્ષ બને તે પણ વિશેષ પ્રકારનું ખીલેલું થાય છે, અને મધુર પાણીનો યોગ ન થાય તો તે બીજ તે રીતે વિશેષ ખીલેલું થાય નહીં તેમ દશ પ્રકારના યતિધર્મોને પાળનાર મુનિ નિર્વાણપદની પ્રાપ્તિમાં બીજની ભૂમિકા જેવા છે, અને તેમાં મુનિરૂપી બીજને સૂત્રનો યોગ મધુર પાણી જેવો છે, અને તેથી મુનિમાં વર્તતો દશ પ્રકારનો યતિધર્મ (સૂત્રના યોગને પામીને) વિશેષવિશેષરૂપે ખીલીને નિર્લેપ દશા તરફ જાય છે. તેથી મુનિને માટે શાસ્ત્રોનો યોગ મધુર પાણી તુલ્ય થાય છે, જેના ફળરૂપે ક્રમે કરીને મુનિ મોક્ષરૂપી ફળને પામે છે. ૧૨-9 અવતરણિકા: ગાથા-૬માં કહ્યું કે યતિ વિધિપૂર્વક સૂત્રને ગ્રહણ કરે છે, તેથી હવે સૂત્રગ્રહાણની વિધિ બતાવે છે - पत्तं परियाएणं सुगुरुसगासाउ कालजोगेण । उद्देसाइकमजुयं सुतं गेझंति गहणविही ॥७॥ प्राप्तं पर्यायेण सुगुरुसकाशात्तु कालयोगेन । उद्देशादिक्रमयुक्तं सूत्रं ग्राह्यमिति ग्रहणविधिः ॥७॥ અqયાર્થ: વાતનો કાળગ્રહણ અને યોગોહન દ્વારા પરિયાણ પરં પર્યાયથી પ્રાપ્ત સારૂમનુયં સુરં ઉદ્દેશાદિ ક્રમથી યુક્ત એવા સૂત્રને સુરુસસાડ સુગુરુ પાસેથીજું ગ્રહાણ કરવું જોઇએ, કૃતિ વિરી એ પ્રકારની ગ્રહણવિધિ છે. ગાથાર્થ: કાળગ્રહણ અને યોગોહન દ્વારા પર્યાયથી પ્રાપ્ત ઉદ્દેશાદિ ક્રમથી યુકત એવા સૂત્રને સુગુરુ પાસેથી ગ્રહણ કરવું જોઇએ, એ પ્રકારની ગ્રહણવિધિ છે. છે. કાળગ્રહણ અને યોગોદ્વહન : (૧) ચાર કાળગ્રહણ સાધુને સ્વાધ્યાય કરતાં પૂર્વે રોજ કરવાના હોય છે. તેની વિધિ સાધુસામાચારીમાં પ્રસિદ્ધ છે. (૨) આગમ ભણવા માટે સાધુને તપવિશેષની ક્રિયા કરવાની હોય છે, તે યોગોદહન છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy