SearchBrowseAboutContactDonate
Page Preview
Page 40
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ 7શિક્ષાવિંશિકાg જાણે છે કે આ સુખ વૃદ્ધિમત્ થઇને જન્મ જન્માંતર સુધી સાથે આવશે, અને પૂર્ણ ભૂમિકામાં પ્રગટ થશે ત્યારે નિરુપમ સુખમાં વિશ્રાન્ત થશે. તેથી સેવનકાળમાં જ યતિની પ્રીતિ ચક્રવતી કરતાં અધિક હોય છે.[૧૨-૫ા અવતરણિકા: પૂર્વની ગાથામાં શિક્ષાદ્દિકનું માહાત્મ્ય દષ્ટાંતથી બતાવ્યું, હવે તે શિક્ષાદ્દિક યતિ કેવી રીતે ગ્રહણ કરે છે તે બતાવતાં કહે છે - परममंतरूवति । गिण्हइ विहिणा सुत्तं भावेणं जोगो वि बीयमहुरोदजोगतुल्लो इमस्स त्ति ||६|| विधिना सूत्रं भावेन परममन्त्ररूपमिति 1 मधुरो यो गतुल्यो ऽस्येति गृह्णाति योगोप અન્વયાર્થ: પરમમંતવ ત્તિ પરમ મન્ત્રરૂપ છે, એથી કરીને (યતિ) વિત્તિ વિધિપૂર્વક માવેગં ભાવથી સુĒ સૂત્રને જ્ઞરૂ ગ્રહણ કરે છે. ડુમસ ગોનો વિ (યતિને) આનો=સૂત્રનો યોગ પણ નીયમહુડોનો તુક્કો બીજ માટે મધુર પાણીના યોગ તુલ્ય છે. * ત્તિ પાદપૂર્તિ માટે છે. ગાથાર્થ: - સૂત્ર પરમ મન્ત્રરૂપ છે, એથી કરીને યતિ વિધિપૂર્વક ભાવથી સૂત્રને ગ્રહણ કરે છે. તિ માટે સૂત્રનો યોગ પણ બીજ માટે મધુર પાણીના યોગ તુલ્ય છે. ભાવાર્થ: ૪ જે જીવ મન્ત્રનું માહાત્મ્ય જાણતો હોય, તે જીવ મન્ત્રને અત્યંત આદરપૂર્વક વિધિથી ગ્રહણ કરે છે. સંસારના આવા મન્ત્રો પણ સિદ્ધ થાય તો કદાચ આકાશગામિની આદિ શક્તિની પ્રાપ્તિ થાય, પરંતુ પરમપદ આદિની પ્રાપ્તિનું કારણ તે બનતા નથી; જ્યારે ભગવાનના વચનરૂપ સૂત્રો તો મોક્ષમાં જ પર્યવસાન પામે છે. તેથી તે સૂત્રો પરમમન્ત્રરૂપ છે. યતિ જાણે છે કે આ પરમમન્ત્રરૂપ શાસ્ત્રને આદરપૂર્વક અને વિધિપૂર્વક ગ્રહણ કરવાથી, ક્રમે કરીને પરમપદની પ્રાપ્તિરૂપ ફળવાળાં થાય છે. તેથી અત્યંત ભાવથી એટલે કે “ઇચ્છાના નાશનું બીજ આ સૂત્ર છે” એવા સંવેગના અતિશયથી, આદર અને ઉપયોગપૂર્વક, સૂત્રગ્રહની શાસ્ત્રોક્ત વિધિપૂર્વક તે સૂત્રને ગ્રહણ કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy