SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ O યતિધર્મવિંશિકા ક્ષયોપશમભાવનાં બની શકે. સાધ્વાચારનું અનુષ્ઠાન મન-વચન અને કાયાથી વીર્યના પ્રવર્તનરૂપ છે અને તે વીર્યનું પ્રવર્તન, જ્યારે જીવ તે અનુષ્ઠાનથી ભગવાનના વચન અનુસાર જે પ્રકારનો નિર્લેપભાવ પ્રગટ થઇ શકે તેવો હોય તે પ્રકારના નિર્લેપભાવને પ્રગટ કરવાના તીવ્ર અભિલાષપૂર્વક તે અનુષ્ઠાનમાં મન-વચન-કાયાના યોગોને પ્રવર્તાવતો હોય, તો તે અનુષ્ઠાનથી સાધ્ય ચારિત્રમોહનીયનો ક્ષયોપશમભાવ જીવને પ્રગટે છે. આ ભાવને જ અનુષ્ઠાનોમાં વર્તતો ક્ષયોપશમભાવ કહ્યો છે. અનુષ્ઠાનોમાં વર્તતો ક્ષયોપશમભાવ જ બ્રહ્મમાં મનોવૃત્તિરૂપ છે. તેથી ભાવથી બ્રહ્મચર્ય છઠા ગુણસ્થાનકવાળા મુનિને સંભવે. અભ્યાસદશામાં કવચિત્ તે ખલનારૂપ પણ હોઇ શકે છે અને અભ્યસ્તદશામાં તે નિરતિચાર હોય છે. સંવિગ્નપાક્ષિકને પણ દ્રવ્યથી બ્રહ્મચર્ય હોય છે અને ભાવના કારણભૂત એવા દ્રવ્યઅનુષ્ઠાનનું તેઓમાં સેવન પણ હોઇ શકે છે, પરંતુ તીવ્ર સંવેગપૂર્વક સ્વશકિત અનુસાર તેમનો યત્ન ન હોવાને કારણે તેમનામાં ક્ષયોપશમભાવ નથી હોતો, અને તેથી જ તેઓની બ્રહ્મમાં મનોવૃત્તિ પણ નથી હોતી. અહીં વિશેષ એ છે કે કોઇ સાધુ શાસ્ત્રવચનાનુસાર અનુષ્ઠાનના વિષયમાં સમગ્ર બોધવાળો હોય અને પ્રવૃત્તિ પૂર્વે તેની ઉચિત વિધિનું સ્મરણ કરીને તીવ્ર સંવેગપૂર્વક સાધુના અનુષ્ઠાનમાં યત્ન કરતો હોય, અને જો પ્રતિબંધક એવું ચારિત્રમોહનીયકર્મ દઢ ન હોય તો તેને તે અનુષ્ઠાનથી ક્ષયોપશમભાવ પ્રગટે છે; અને પ્રતિબંધક એવા ચારિત્રમોહનીયકર્મની દઢતા હોય, તો વારંવાર ધૃતિપૂર્વક તેવો યત્ન કરવાથી ક્ષયોપશમભાવ પ્રગટે છે. સાધુનાં સર્વ અનુષ્ઠાનને બ્રહ્મરૂપે કહેનાર નિશ્ચયનયની દૃષ્ટિ છે અને ચોથા વ્રતના પાલનને બ્રહ્મરૂપે કહેનાર વ્યવહારનયની દષ્ટિ છે. II૧૧-૧ળા एवं परिसुद्धासयजुत्तो जो खलु मणोनिरोहो वि । परमत्थओ जहत्थं सो भण्णइ बंभमिह समए ॥१८॥ एवं परिशुद्धाशययुक्तो यः खलु मनोनिरोधोऽपि । परमार्थतो यथार्थं स भण्यते ब्रह्मेह समये ॥१८॥ અન્વયાર્થ: હવે આ પ્રકારે ગાથા-૧૭માં કહ્યું એ પ્રકારે, પfસુદ્ધાયડુત પરિશુદ્ધ આશય Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy