SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ 7 યતિધર્મવિશિકાતું ૨૨ યુક્ત વસ્તુ ખરેખર નો જે મળોનિોદ્દો મનનો નિરોધ (છે) સો તે વિજ સમÇ શાસ્ત્રમાં ક્ અહીં-દશપ્રકારના યતિધર્મના વિષયમાં પરમત્ત્વો પરમાર્થથી નહ્યં યથાર્થ હંમમ્ બ્રહ્મચર્ય મળ્વરૂ કહેવાય છે. * વિ એવકાર અર્થક છે અને તેનું યોજન ઉત્તરાર્ધમાં આવતા સો સાથે છે. ગાથાર્થ: - બ્રહ્મસ્વરૂપ આત્મામાં મનોવૃત્તિ તે બ્રહ્મચર્ય છે, એમ આગળની ગાથામાં બતાવ્યું. એ રીતે, પરિશુદ્ધ આશય યુક્ત ખરેખર જે મનનો નિરોધ છે તે જ શાસ્ત્રમાં દશ પ્રકારના યતિધર્મના વિષયમાં પરમાર્થથી યથાર્થ બ્રહ્મયર્ય કહેવાય છે. ભાવાર્થ: - પૂર્વની ગાથામાં બતાવ્યું કે યતિનું સર્વ અનુષ્ઠાન બ્રહ્મચર્ય છે. તેમ સ્વીકારીએ તો એ પ્રાપ્ત થાય કે, સાધુનો દસે પ્રકારના યતિધર્મમાં અપ્રમાદભાવથી યત્ન કરવાનો જે પરિણામ છે તે પરિશુદ્ધ આશય છે, અને તે પરિશુદ્ધ આશયપૂર્વક જે દસ પ્રકારના યતિધર્મમાં મનનો નિરોધ છે તેને શાસ્ત્રમાં પરમાર્થથી યથાર્થ બ્રહ્મચર્ય કહેલ છે. અહીં પરમાર્થથી એટલા માટે કહેલ છે કે, વ્યવહારથી ચોથા વ્રતના પાલનરૂપ બ્રહ્મચર્ય છે, જ્યારે પરમાર્થને જોનાર નિશ્ચયદષ્ટિથી આત્મભાવમાં લીન હોવું તે બ્રહ્મચર્ય છે. દસ પ્રકારના યતિધર્મમાં જે મનનો નિરોધ છે તે આત્મભાવમાં જવા માટેના યથાર્થ પ્રયત્નરૂપ છે, તેથી દસ પ્રકારના યતિધર્મમાં મનના નિરોધને પરમાર્થથી યથાર્થ બ્રહ્મચર્ય કહેલ છે. II૧૧-૧૮|| અવતરણિકા: દશે પ્રકારના યતિધર્મનું વર્ણન કરતાં ગાથા ૧૪ થી ૧૮ સુધી બ્રહ્મચર્યનું વર્ણન કર્યું, અને તેમાં કહ્યું કે વ્યવહારનયથી પાંચ પ્રકારની પ્રવિચારણાનો ત્યાગ તે બ્રહ્મચર્ય છે અને નિશ્ચયનયને આશ્રયીને તો સાધુનાં સર્વ અનુષ્ઠાનો બ્રહ્મચર્ય છે. આ વાતને દશે પ્રકારના યતિધર્મમાં નિશ્ચયનયને આશ્રયીને જોડવી જોઇએ એ બતાવતાં કહે છે इय तं तजुत्तिनीईइ भावियव्वो बुहेहिं सुत्तत्थो । सव्वो ससमयपरसमंयजोगओ मुक्खकं खीहिं ॥ १९ ॥ इति तन्त्रयुक्तिनीतिभिर्भावयितव्यो વધે सूत्रार्थः । સર્વઃ स्वसमयपरसमययोगतो मोक्षकाङ्क्षिभिः ||o|| Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy