SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯ 7 યુતિધર્મવિશિકા અભાવમાં પણ નો નંમ બ્રહ્મચર્ય નથી. ખં જે કારણથી તેસિં તેઓમાં=અનુત્તરવાસી દેવોમાં તદ્દ તે પ્રકારના પવિત્રુદ્ધાસયામાવા પરિશુદ્ધ આશયનો અભાવ હોવાને કારણે વંમે ન મળોવિજ્ઞી બ્રહ્મમાં મનોવૃત્તિ નથી. ગાથાર્થ: અનુત્તરવાસી દેવોને પ્રવિચારણાનો અભાવ હોતે છતે પણ બ્રહ્મચર્ય નથી, કારણ કે તેમનામાં તેવા પ્રકારના પરિશુદ્ધ આશયનો અભાવ હોવાને કારણે બ્રહ્મમાં મનોવૃત્તિ નથી હોતી. ભાવાર્થ: અનુત્તરવાસી દેવો ઉપશાન્તમોહવાળા હોય છે. તેથી તેમનામાં ગાથા ૧૪૧૫માં બતાવેલ પાંચે પ્રકારની મૈથુન સંબંધી પ્રવિચારણા નથી હોતી. તેઓ સ્વભાવથી જ કામવિકાર વગરના હોય છે. તેથી કામની પ્રવૃત્તિમાં પણ તેઓને સંક્લેશ જ દેખાય છે. દેવભવમાં સ્વભાવથી જ ચારિત્રમોહનીયનો ઉદય વર્તતો હોય છે. અનુત્તરવાસી દેવોને તે ઉદય અતિમંદ કક્ષાનો હોય છે તેથી તેમને વ્યક્ત કામવિકારો હોતા નથી, તો પણ પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં અવિરતિનો પરિણામ તેઓને હોય છે. તેનું કારણ મંદ પણ અવિરતિના આપાદક એવા પ્રત્યાખ્યાની કર્મનો ઉદય તેઓમાં વર્તે છે, પરંતુ ક્ષયોપશમભાવ થતો નથી; જ્યારે ચોથા વ્રતનું પાલન શ્રાવકને અપ્રત્યાખ્યાનીય કર્મના ક્ષયોપશમથી થાય છે, અને સાધુને અપ્રત્યાખ્યાનીય અને પ્રત્યાખ્યાનીય ઉભયના ક્ષયોપશમથી થાય છે. દેવભવમાં સ્વભાવથી જ આવો ક્ષયોપશમ થઇ શકે નહીં, તેથી મુનિ જેવો કે બ્રહ્મચારી દેશવિરતિધર શ્રાવક જેવો પિરણામ તેઓને નથી હોતો. બ્રહ્મચારી દેશવિરતિધર શ્રાવક અથવા ભાવથી સંયમમાં વર્તતા મુનિ, બ્રહ્મરૂપ આત્માના સ્વરૂપને પ્રગટ કરવા માટે યત્નવાળા હોય છે. તેથી પ્રતિપક્ષના ભાવનને કારણે તેઓની મૈથુનસંજ્ઞા નિરુદ્ધ થયેલી હોય છે. તે કારણે (ક્ષયોપશમભાવના) દેશિવરિત કે સર્વવિરતિના પરિણામરૂપ બ્રહ્મચર્ય તેઓને હોય છે. જ્યારે અનુત્તરવાસી દેવોને કામવિકારો ન હોવા છતાં પણ દેવભવના કારણે પાંચે ઇન્દ્રિયોના વિષયોમાં અવિરતિનો પરિણામ હોય છે. તેથી બ્રહ્મસ્વરૂપ આત્મભાવમાં તેઓની મનોવૃત્તિ નથી અને આથી જ તેઓને બાહ્યરૂપે બ્રહ્મચર્યનું પાલન હોવા છતાં ભાવથી ચોથા વ્રતના પાલનરૂપ બ્રહ્મચર્ય નથી. અહીં વિશેષ એ છે કે અનુત્તરવાસી દેવો પ્રાયઃ કરીને શાસ્ત્રાર્થોનું જ પર્યાલોચન કરતા હોય છે. તેથી સામાન્યથી એમ લાગે કે તેઓનો ઉપયોગ શ્રુત પરિણામમાં જ વર્તે છે અને કામના પણ વિકારો નથી, તો તેઓને બ્રહ્મસ્વરૂપ આત્મામાં મનોવૃત્તિ કેમ નથી? Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy