SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ 7 યતિધર્મવિંશિકા અન્વયાર્થ: ફત્હ અહીં=બ્રહ્મચર્યના વિષયમાં, જાયસ વેન્હેિં કાય, સ્પર્શ, (અને) રૂપ વડે, વ સમળેહિં શબ્દ અને મન વડે । રાગના કારણે મેદુળોનો મૈથુનના યોગવાળો, મોઝુવયં મોહના ઉદયવાળો રતો અને રતિફળવાળો સન્ત પવિયો સર્વ પ્રવિચાર છે. ગાથાર્થ: બ્રહ્મચર્યના વિષયમાં કાય, સ્પર્શ, રૂપ, શબ્દ અને મન વડે રાગના કારણે મૈથુનના યોગવાળો, મોહના ઉદયવાળો અને રતિફળવાળો સર્વ પ્રવિચાર છે. ભાવાર્થ: કાયકૃત ભોગક્રિયા એ કાયપ્રવિચારણા છે. સ્પર્શ કરીને વિજાતીય સાથેના આનંદની ક્રિયા કરવી એ સ્પર્શપ્રવિચારણા છે. વિજાતીયનું રૂપ જોવાથી આનંદ થાય તે રૂપપ્રવિચારણા છે. વિજાતીયના શબ્દો સાંભળીને આનંદનો પરિણામ થવો તે શબ્દપ્રવિચારણા છે અને વિજાતીયના વિચારમાત્રથી આનંદ થવો તે મનપ્રવિચારણા છે. આ પાંચે પરિણામો રાગના કારણે મૈથુનના યોગરૂપ છે અર્થાત્ મૈથુનસંજ્ઞારૂપ છે. આ પાંચે પરિણામમાંથી કોઇ પણ પરિણામ વર્તતો હોય ત્યારે જીવ વેદમોહનીયના ઉદયવાળો હોય છે. આ પાંચે પરિણામો રતિફળવાળા છે, અર્થાત્ તે પાંચેમાંથી કોઇ પણ પરિણામમાં જીવ ઉપયોગવાળો હોય ત્યારે જીવને માનસિક રતિનો અનુભવ થાય છે, અને તે પાંચે પરિણામ અબ્રહ્મના પરિણામ સ્વરૂપ છે. ૧૧-૧૫૫ અવતરણિકા - ગાથા-૧૪માં બતાવ્યું કે પાંચ પ્રકારની પ્રવિચારણાનો પરિત્યાગ એ બ્રહ્મચર્ય છે. અહીં કોઇને ભ્રમ થાય કે અનુત્તરવિમાનવાસી દેવોને પાંચે પ્રકારની પ્રવિચારણા હોતી નથી, તેથી તેઓમાં પણ બ્રહ્મચર્ય છે. તેથી કહે છે - एयस्साभावं मि वि नो बंभमणुत्तराण जं तेसिं बंभे ण मणोवित्ती तह परिसुद्धासयाभावा ।। १६ ।। एतस्याभावेऽपि नो ब्रह्मानुत्तराणां यत्तेषां परिशुद्धाशयाभावात् ॥૬॥ ब्रह्म न मनोवृत्तिस्तथा १८ અન્વયાર્થ: અનુત્તરાળ અનુત્તરવાસી દેવોને યમ્સમાöમિ વિ આના-પ્રવિચારના Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy