SearchBrowseAboutContactDonate
Page Preview
Page 27
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬ 0 યતિધર્મવિશિકા] છે. પ્રમાદકાળમાં પેદા થયેલ આ પાપ વિધિપૂર્વક આલોચના કરવાથી નાશ પામે છે. કેમ કે આલોચનાકાળમાં પાપથી વિરુદ્ધ શુદ્ધ અધ્યવસાય પ્રગટે છે, જેનાથી આત્મામાં પડેલા પાપના કુસંસ્કારો અને બંધાયેલું કર્મ નાશ પામે છે. અહીં એ ઉલ્લેખનીય છે કે જે પ્રકારના અધ્યવસાયથી પાપ થયેલું હોય તેના કરતાં વિરુદ્ધ તીવ્ર અધ્યવસાયથી આલોચના આદિ થાય તો તે પાપ અવશ્ય નાશ પામે છે, અને આથી જ પ્રાયશ્ચિત્ત લેનારે સંવેગને અતિશયિત કરીને શુદ્ધિ માટે યત્ન કરવો જોઇએ. I૧૧-૧૨ અવતણિકા: દસ પ્રકારના યતિધર્મમાં હવે ક્રમ પ્રાપ્ત અકિંચનતાધર્મ બતાવે છે - पक्खीए उवमाए जं धम्मोवगरणाइरेगेण । वत्थुस्सागहणं खलु तं आकिंचनमिह भणियं ॥१३।। पक्षिण उपमया यद्धर्मोपकरणातिरेकेण वस्तुनोऽग्रहणं खलु तदाकिंचन्यमिह भणितम् ॥१३।। અqયાર્થ: પવી ૩૧મા પક્ષીની ઉપમાથી વં જે ઘોવા૨ા ધર્મોપકરણ આદિથી અતિરેક વસ્યુસી વસ્તુનું અગ્રહણ તું તે હલુ ખરેખર અહીં યતિધર્મમાં આવિવä અકિંચનપણું મયંકહેવાયું છે. ગાથાર્થ: પક્ષીની ઉપમાથી જે ધર્મોપકરણ આદિથી અતિરેક વસ્તુનું અગ્રહણ તે ખરેખર અહીં યતિધર્મમાં આકિંચન્ય કહેવાયું છે. ભાવાર્થ: પક્ષીઓને તેમના ભવના સ્વભાવને કારણે જ પોતાનું સદા માટેનું કોઇ નિવાસસ્થાન કે કોઇ વસ્તુ સંગ્રહ કરવાની વૃત્તિ નથી હોતી. જ્યારે ઇંડાં મૂકતાં હોય ત્યારે જ તે માળા માટે પ્રયત્ન કરે છે, પરંતુ ભવિષ્યમાં ઉપયોગી થશે એ આશયથી સંગ્રહ કરવાનો તેમનો સ્વભાવ નથી. તે રીતે સંયમધર્મની વૃદ્ધિના કારણભૂત ઉપકરણોને છોડીને કોઈ વસ્તુને ગ્રહણ ન કરવી એ દશ પ્રકારના યતિધર્મમાં આકિચન્ય નામનો યતિધર્મ છે. ll૧૧-૧3II અવતણિકા: દસ પ્રકારના યતિધર્મમાં હવે કમ પ્રાપ્ત બ્રહ્મચર્યને કહે છે - Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy