SearchBrowseAboutContactDonate
Page Preview
Page 26
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ -યતિધર્મવિંશિકા તત્ત્વોનું પ્રકાશન કરનારો જ હોય છે. ક્વચિત્ અન્ય દર્શનનું કથન હોય તો તે પણ સ્વસિદ્ધાંતની પુષ્ટિના અંગરૂપ જ હોય, તે બતાડવા માટે યિતનું ભાષણ સ્વસમયવિષયક હોય છે તેમ કહેલ છે. ૧૧-૧૧]] અવતરણિકા: યતિધર્મમાં હવે ક્રમપ્રાપ્ત ‘શૌચ’ને બતાવે છે - आलोयणाइदसविहजलओ पावमलखालणं विहिणा । जं दव्वसोयजुत्तं तं सोयं जइजणपसत्थं ॥१२॥ आलोचनादिदशविधजलतः पापमलक्षालनं विधिना 1 यद् द्रव्यशौचयुक्तं तच्छौचं तच्छौचं यतिजनप्रशस्तम् કા અન્વયાર્થ: વિષિના વિધિપૂર્વક આતોયબાવસવિનત્તઓ આલોચનાદિ દશવિધ જળથી નું જે પાવમતવાતનું પાપમલનું પ્રક્ષાલન (કરાય છે), તે તે ~સોયનુાં દ્રવ્યશૌચથી યુક્ત એવું નજ્ઞળપસત્યં યતિજનનું પ્રશસ્ત સોચેં શૌચ છે. (એટલે કે યતિના પ્રશસ્ત પરિણામરૂપ શૌચ નામનો યતિધર્મ છે.) ગાથાર્થ: કેમ છે તે વિધિપૂર્વક આલોચનાદિ દવિધ જળથી જે પાપમલનું પ્રક્ષાલન દ્રવ્યશૌચથી યુક્ત એવું યતિજનનું પ્રશસ્ત શૌચ છે, એટલે કે યતિના પ્રશસ્ત પરિણામરૂપ શૌચ નામનો યતિધર્મ છે. ભાવાર્થ: સંયમ લીધા પછી સંયમજીવનની કોઇ નાનામાં નાની પણ સ્ખલનાની ઉપેક્ષા કરવામાં આવે તો ક્રમે કરીને તે સ્ખલના સંયમજીવનના નાશનું કારણ પણ બની શકે છે. તે કારણે સાધકમુનિ થયેલી સ્ખલનાથી મલિન બનેલા આત્માની શુદ્ધિ માટે યત્ન કરે છે. આ શુદ્ધિ માટેનો યત્ન જ શૌચધર્મ છે. શુદ્ધિ માટે આલોચના આદિ જે દશવિધ પ્રાયશ્ચિત્તમાં યત્ન કરાય છે તે ક્રિયાત્મક હોવાને કારણે તેને દ્રવ્યશૌચ કહેવાય છે. તે ક્રિયાની સાથે તીવ્ર સંવેગપૂર્વકનો અધ્યવસાય ભળે તો તેનાથી આત્માને મલિન કરે એવા પાપની શુદ્ધિ થાય છે. આત્માને મમિલન કરનાર પાપ આત્મામાં વર્તતા અશુભ સંસ્કારોરૂપ અને પ્રમાદકાળમાં બંધાયેલાં અશુભ કર્મોરૂપ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy