SearchBrowseAboutContactDonate
Page Preview
Page 22
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧ | _ યતિધર્મવિંશિકાd (૪) વચન-આર્જવ :- આત્મભાવોને ફુરણ કરવા માટે ભગવાનના વચનાનુસાર યત્ન કરતા મુનિનો માયારહિતનો જે પરિણામ તે ‘વચન-આર્જવ છે. (૫) ધર્મ-આર્જવ :- અભ્યાસના અતિશયથી અસંગભાવવાળા મુનિને પ્રકૃતિથી જ કોઇ પણ અનુષ્ઠાનમાં આત્મવંચના હોતી નથી, તે “ધર્મ-આર્જવ’ છે. મુકિત:(૧) ઉપકારી-મુકિત:- ઉપકારી પાસેથી પોતાના સ્વાર્થની કોઇપણ સામગ્રી મેળવવાની અપેક્ષા ન રાખવી તે ‘ઉપકારી-નિલભતા છે. આથી જ ઉત્તમ પ્રકૃતિવાળા જીવોને ઉપકારી એવાં માતા-પિતા પાસેથી કોઈ ભૌતિક સંપત્તિ મેળવવાની અપેક્ષા હોતી નથી, તે ઉપકારી-નિર્લોભતા છે. (૨) અપકારી-મુક્તિ - જ્યાં લોભથી સામેની વ્યક્તિ પાસેથી અપકાર થાય તેવી સંભાવના દેખાતી હોય ત્યાં લોભનો પરિણામ ન ઊઠે તે “અપકારી-નિલભતા” છે. (૩) વિપાક-મુકિત :- જે વ્યક્તિ લોભના આલોકના અને પરલોકના વિપાકો વારંવાર વિચારે છે અને તેનાથી ધનાદિ મેળવવાની જેટલી ઈચ્છાઓ ઓછી કરે છે તેટલા તેટલા અંશે તેની નિર્લોભતા વૃદ્ધિ પામે છે. આ વિપાકની વિચારણાથી પ્રાપ્ત થયેલા સંતોષભાવને ‘વિપાક-મુક્તિ” કહેવાય છે. (૪) વચન-મુક્તિ - ભગવાનના વચનાનુસાર ઉચિત પ્રવૃત્તિ કરનારને બાહ્ય પદાર્થની ઇચ્છામાત્ર જ વ્યાધિસ્વરૂપ દેખાય છે, અને વિચારકને વ્યાધિની ઇચ્છા ન હોય તેથી મુનિને ખાદ્યપદાર્થ, દશ્ય પદાર્થ કે ભક્તિવાળા શ્રાવક આદિ પ્રત્યે પણ લાગણીની વૃદ્ધિરૂપ પરિણતિ હોતી નથી. કેવળ સ્વ અને પરના કલ્યાણમાત્રની મનોવૃત્તિ હોય છે. તેથી જ ભગવાનના વચનાનુસાર સ્વના સંયમયોગ માટે કે અન્યને સન્માર્ગની પ્રાપ્તિ કરાવવા માટે ઉચિત પ્રયત્નવાળા મુનિ હોય છે. આવા મુનિને ભગવાનના વચનથી પરની ઇચ્છાના અભાવ સ્વરૂપ “વચન-નિર્લોભતા વર્તે છે. ! ! ! . . . (૫) ધર્મ-મુકિત : અસંગાનુષ્ઠાનવાળા મહાત્માઓને સર્વ દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવમાં કોઇ પ્રકારનો પ્રતિબંધ હોતો નથી, કેવળ ધ્યાનમાં તેનો સતત યત્ન હોય છે. તેથી પ્રકૃતિરૂપે જ તેમને સર્વત્ર નિર્મમભાવ હોય છે. આમ છતાં, જે સૂક્ષ્મ કષાયો, ઉદયમાં આવે છે તે પણ તેઓના ધ્યાનના ઉપયોગ દ્વારા ક્રમસર ક્ષીણ ક્ષીણતર થતા હોય છે, અને તેમનામાં જે ક્ષયોપશમભાવનો નિર્લોભતાનો પરિણામ ઉત્પન્ન થાય છે તેને ધર્મ-મુક્તિ કહેવાય છે.II૧૧-૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy