________________
0 યતિધર્મવિંશિકાઈ.
વળ
અવતરણિકા:
હવે દસ પ્રકારના યતિધર્મમાં ક્રમ પ્રાપ્ત પાંચમા યતિધર્મ તપને કહે છે -
इहपरलोगादणविक्खं जमणसणाइ चित्तणुट्ठाणं । तं सुद्धनिजराफलमित्थ तवो होइ नायवो ॥९॥ इहपरलोकाद्यनपेक्षं यदनशनादि चित्रानुष्ठानम् तच्छुद्धनिर्जराफलमत्र तपो भवति ज्ञातव्यम् ॥९॥
અqયાર્થ:
જે પરસ્તો વિવિë ઇહલોક-પરલોકની અપેક્ષા વગરનું ગાડું અનશનાદિરૂપ પિત્તકાનું ચિત્ર અનુષ્ઠાન છે, તે ફલ્યું તે અહીં= યતિધર્મમાં સુનિના પત્ત શુનિર્જરાફળવાળું તવો તો નાયબ્બો ત૫ જાણવું.
ગાથાર્થ:
જે ઈહલોક-પરલોકની અપેક્ષા વગરનું અનશનાદિરૂપ ચિત્ર અનુષ્ઠાન છે, તે યતિધર્મમાં શુદ્ધનિર્જરાફળવાળું તપ જાણવું.
ભાવાર્થ:
આલોકનાં કે પરલોકનાં કોઇ શારીરિક કે ભૌતિક સુખની અપેક્ષા વગર, કેવળ નિરપેક્ષભાવને અતિશયિત કરવા માટે મુનિ જે અનશનાદિ વિવિધ પ્રકારનાં અનુષ્ઠાનો સેવે છે, તે શુદ્ધ નિર્જરાનાં ફળવાળો તપધર્મ જાણવો.
અહીં તપ દ્વારા થતી અકામનિર્જરાની વ્યાવૃત્તિ કરવા અર્થે શુદ્ધ નિર્જરાફળવાળું આ તપ છે તેમ કહ્યું છે. સામાન્ય રીતે મુનિ સંસારના સર્વભાવ પ્રત્યે નિરપેક્ષ હોય છે. આમ છતાં, આ નિરપેક્ષભાવની વૃદ્ધિ અર્થે જ જ્યારે મુનિ તપમાં યત્ન કરે છે ત્યારે સકામનિર્જરા થાય છે, અને જેટલા જેટલા અંશે નિરપેક્ષભાવ અતિશયિત થાય છે તેટલા તેટલા અંશમાં નિર્જરા અતિશયિત થાય છે. આ રીતે મુનિનું તપ અકામનિર્જરાફળવાળું નહિ, પરંતુ શુનિર્જરાફળવાળું છે તે બતાવ્યું છે. ll૧૧-લા
અવતરણિકા:
દસ પ્રકારના યતિધર્મમાંથી હવે ક્રમ પ્રાપ્ત સંયમધર્મને બતાવે છે -
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org