SearchBrowseAboutContactDonate
Page Preview
Page 21
Loading...
Download File
Download File
Page Text
________________ - ૧૦ - 0 યતિધર્મવિશિકાd. ત્યારે અપકારી માદેવ” કહેવાય. જો કે આવાં સ્થાને કેવળ ઉપચારથી નમ્રતો બતાવવાનો વ્યવહાર હોઈ શકે, પરંતુ સામાન્ય રીતે જીવ જેવી આચરણ કરે તેવો પરિણામ થાય છે, તે રીતે અપકારી પ્રતિ નમ્રતાનું વર્તન કરતો હોય ત્યારે હૈયામાં માર્દવ ભાવ વર્તતો હોય તો અપકારી-માર્દવ’ કહી શકાય. (૩) વિપાક-માર્ટa:- વળી માનનો વિપાકે લોકમાં પણ પુષ્યનો સહકાર ન હોય તો પ્રતિકૂળ પ્રાપ્ત થાય છે અને કદાચ પુણ્યનો સહકાર હોય તો લોકમાં માન-સન્માન કદાચ મળી જાય છે પણ તેનો વિપાક તો દારુણ જ હોય છે. આ પ્રમાણે વિચારવાથી જેનું ચિત્ત માર્દવભાવને પામે છે તે ‘વિપાક-માર્દવ છે. આવા જીવો પ્રાયઃ લોકો પાસેથી માનસન્માનની આકાંક્ષા પણ ઓછી રાખે છે અને નાના માણસો પાસે પોતાનું મહત્વ બતાવવા માટે યત્ન કરતા નથી. આ ત્રણે પ્રકારના માર્દવ ગૃહસ્થોને સંભવે છે. (૪) વચન-માર્દવ :- ભગવાનના વચનથી મુનિનું ચિત્ત અત્યંત વાસિત હોય છે અને આથી જ વચન પ્રમાણે જ ત્રણે યોગને પ્રવર્તાવવા માટે મુનિ ઉદ્યમવાળા હોય છે. લોકો તરફથી જે માન-સન્માન મળે તે પણ તેમને અડતાં નથી અને કોઇક સ્થાનમાં અનાદર પ્રાપ્ત થાય તો પણ તેમના ચિત્તમાં સહેજ પણ વિપરીત પરિણામ થતો નથી. મુનિના આવા ભગવાનના વચનને આશ્રયીને જ નમ્ર રહેવાના પરિણામને ‘વચન-માર્દવ પરિણામ કહેવાય છે. (૫) ધર્મ-માર્દવ :- વચનાનુષ્ઠાન સેવીને જ્યારે જીવની પ્રકૃતિ જ વીતરાગભાવના ઉપયોગવાળી બને છે ત્યારે અસંગ અનુષ્ઠાનમાં ભગવાનના વચનના સ્મરણ વગર જ સહજ રીતે માન-અપમાન જેમને સમાન લાગે છે તેવા મહાત્માઓને “ધર્મ-માર્દવ હોય છે. આથી જ તણખલા જેવી વ્યક્તિ પણ અપમાન કરે તો પણ તેમને અસર થતી નથી અને ઇન્દ્રો આદિ પૂજા કરે તો પણ તેમને કોઇ ઉત્સક પરિણામ થતો નથી અને તેને દૂર કરવા માટે કે તેનાથી સાવધાન રહેવાની પણ તેમને જરૂરિયાત હોતી નથી. આર્જવ:(૧) ઉપકારી-આર્જવ :- જે વ્યક્તિમાં કૃતજ્ઞતા ગુણ ખીલેલો હોય તે વ્યક્તિ ઉપકારી સાથે હંમેશાં દરેક પ્રકારના વ્યવહારમાં અતિ સરળ રહે છે તે ‘ઉપકારી-આર્જવ છે. (૨) અપકારી-આર્જવ :- કોઇની સાથે અસરળતાથી વર્તન કરવાને કારણે અપકાર થવાની સંભાવના હોય તો એ અપકારની સંભાવનાના વિચારથી પણ જે સરળતાથી વર્તન કરી શકાય છે તે “અપકારી-આર્જવ’ છે. (૩) વિપાક-આર્જવ - માયાના આલોક અને પરલોકના વિપાકોનું ચિંતન કરવાથી જીવની પ્રકૃતિ માયા વગરની થાય તે ‘વિપાક-આર્જવ છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.005544
Book TitleVinshati Vinshika Shabdasha Vivechan Uttararddha
Original Sutra AuthorN/A
AuthorPravinchandra K Mota
PublisherGitarth Ganga
Publication Year
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size16 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy